શુક્રવાર, 27 ઑગસ્ટ, 2021

સ્વચ્છ અંજાર - Clean Anjar

આપણું અંજાર સ્વચ્છ અંજાર શું તમે જાણો છો. આપણે આજુબાજુમાં જમા થયેલો કચરો આપણે અનેક બીમારીઓ ઘેરી વળે છે. હા તો કચરો સાફ કરવા આપણે નગરપાલિકામાં ફોન કરતા હોઈએ છીએ પણ હવે આપણા માટે બહુ સરસ મજાનું whatsapp એપ્લિકેશન માં સફાઈ નો ફોટો મુકવાનો અને  આપનું લોકેશન મૂકી સફાઇ થતી જોવો નાગપુર વેસ્ટ હેન્ડલિંગ તરફથી આ નંબર આપવામાં કરવામાં આવ્યો છે

જ્યા સફાઈ કરવાની છે. તે જગ્યા નું સરનામું મુકજો.



જો તમારી ફરિયાદ નું સોલ્યુશન ન આવે તો
અહી ફોન અથવા મેસેજ કરો...

મને ફરિયાદ છે સુભાષ ભાઈ  👈 હી  ટચ કરો......

અંજાર માં વ્યાજબી ભાવે અથાણાં,ખાખરા માટે
ફોન કરો. મેસેજ કરો.
ફકત ₹..૧૩૦*



સોમવાર, 16 ઑગસ્ટ, 2021

તમારી આઇ. ડી થી કેટલા મોબાઈલ ચાલુ છે. How many mobiles are on aadhaar iD ?

શું તમે જાણવા માંગો છો.
કે તમારા આધાર / આઇડી
થી કેટલા મોબાઈલ નંબર ચાલુ છે.

સૌ પ્રથમ  અહી         ☎️   અહી ટચ કરો.   ☎️



અને પોતાના મોબાઈલ નંબર 
નાખો એક ઓટીપી આવશે.
તે સબમિટ કરો. 

પછી અહી નબર બતાવશે જે
આગળ - પાછળ ના નબર 
હસે.

જો આ નબર આપનો નથી તો
આપ રિપોર્ટ કરી ડિલીટ કરાવી શકશો.

તમારો હોય તો જરૂરી માં સબમિટ કરો.  અથવા લોગ આઉટ કરો..


   ☎️           ચેક ડીટેલ         ☎️

સ્વાદિષ્ટ અથાણાં
170 ₹ કિલ્લો ના **
92284 35764

મંગળવાર, 10 ઑગસ્ટ, 2021

વ્યાકરણ Grammar


સમાનાર્થી શબ્દો એટલે શું?
જ્યારે શબ્દો જુદા જુદા હોય પરંતુ તેનો અર્થ એક જ થતો હોય ત્યારે તેને સમાનાર્થી- એટલે કે સમાન અર્થ ધરાવતા શબ્દો કહેવાય છે. ઘણી વખત શબ્દો સમાન અર્થ ધરાવતા હોવા છતાં વાક્ય રચના કરીએ ત્યારે કેટલાક વાકયોમાં તેનો અર્થભેદ વધુ સ્પષ્ટ થાય છે. કેટલાક શબ્દો સમાન અર્થ ધરાવવા છતાં તેનો બહુ સીમિત ઉપયોગ થાય છે. 

દા.ત. 
વહાલ,વાત્સલ્ય,સ્નેહ અને પ્રેમ બધાનો આમ જોઈએ તો એક જ અર્થ થાય છે છતાં વાત્સલ્ય મોટા ભાગે મોટેરાઓના નાની વ્યક્તિ પ્રત્યેના વ્હાલ માટે વપરાય છે. આમ દરેક શબ્દો ને સમાન અર્થ ધરાવતા હોવા છતાં ઘણી વખત એક જ વાક્યમાં વૈકલ્પિક પ્રયોજી શકતા નથી.

 દા.ત 
ભય,ડર,બીક અને ઓથાર સમાન અર્થ ધરાવતા હોવા છતાં વાક્યમાં જોઈએ તો –

‘મને અંધારામાં ડર લાગે,’ ‘મને અંધારમાં ભય લાગે,’ ‘મને અંધારામાં બીક લાગે’ એમ પ્રયોજી શકાય પરંતુ ‘મને અંધારામાં ઓથાર લાગે’ એવું ન કહી શકાય. 
આમ સમાનાર્થી શબ્દો હોવા છતાં દરેક વખતે જે-તે શબ્દોને તેની અવેજીમાં પ્રયોજી શકતા નથી. અને તેના પરથી જ ખ્યાલ આવે છે આપણે ભલે તેને સમાનાર્થી ગણીએ છતાં દરેક શબ્દોના અર્થની અભિવ્યંજના એક સરખી નથી. 

(૧)   સમાનાર્થી શબ્દો    👈 PDF  છે.

(૨)   સમાનાર્થી શબ્દો    👈 PDF  છે.

(૩)   સમાનાર્થી શબ્દો    👈 PDF  છે.

(૪)   સમાનાર્થી શબ્દો   👈 PDF  છે.


અનેકાર્થી શબ્દો: 
જે શબ્દો ના એક કરતાં વધારે
અર્થી થાય તો એ અનેકાર્થી શબ્દો
કહે છે...

ભાગ - 1    👈 PDF  છે.

ભાગ - 2    👈 PDF છે.

વિશેષણ: 

વિશેષણ   👈 PDF  છે.


---
જોડણી ના નિયમ ----

જોડણીના સામાન્ય નિયમો!
                          

સામાન્ય રીતે બધા જ વિદ્યાર્થીઓ જોડણી કરતી વખતે દ્વિધા અનુભવતા હોય છે. ખાસ કરીને હ્રસ્વ ઇ – િ તથા દીર્ઘ ઈ – ી, તેમજ હ્રસ્વ ઉ – ુ તથા દીર્ઘ ઊ- ૂ, તેમજ અનુસ્વાર ‘ં’ તથા જોડાક્ષર.

આ બધી બાબતો જો સરળતાથી સમજાય તો ભૂલો થવાની સંભાવના બહુ ઓછી રહે છે. અને તેથી જ અહીં જોડણીના કેટલાક સામાન્ય નિયમો આપેલ છે. જે માત્ર વિદ્યાર્થીઓને જ નહીં પણ તેના વાલીઓને પણ ઉપયોગી થઈ શકશે.

1) ‘ત્રિ’ થી શરૂ થતા શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

 દા.ત. ત્રિફળા, ત્રિશુળ, ત્રિશંકુ, ત્રિરંગો, ત્રિરાશિ વગેરે...

2) ‘પ્રિ’ થી શરૂ થતાં શબ્દમાં હ્રસ્વ ‘ઇ’ િ ની માત્રા કરવી.

 દા.ત. પ્રિન્ટ, પ્રિન્સ, પ્રિય વગેરે...

3) બંને અક્ષર ઈ કાર વાળા શબ્દમાં પ્રથમ અક્ષરમાં દીર્ઘ ‘ઈ’-ી તથા બીજા અક્ષરમાં હ્રસ્વ 'ઇ' – િ ની માત્ર કરવી.

દા.ત. રીતિ, પ્રીતિ, ભીતિ, ગીતિ, કીર્તિ, શ્રીતિ વગેરે...  

4) ‘ઇત' પ્રત્યે વાળા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

દા.ત. પ્રેરિત, પ્રોત્સાહિત, ઉત્સાહિત, કલંકિત, ઇચ્છિત.વગેરે....

   પ) શબ્દના અંતે ‘ઈક’ લાગે ત્યારે તેવા શબ્દોમાં પણ હ્રસ્વ ‘ઇ' –િ ની માત્ર કરવી.

દા.ત. સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, આધ્યાત્મિક, વૈવાહિક, પૌરાણિક, ઔપચારિક, નૈતિક, પ્રમાણિક, દૈનિક, ભૌગોલિક, વૈજ્ઞાનિક, પારંપારિક, વૈશ્વિક, ઈસ્લામિક, પ્રસ્તાવિક વગેરે...

   ૬) ‘ઈયા' પ્રત્યેય લાગેલા શબ્દોમાં હ્રસ્વ ઇ – િ ની માત્ર કરવી

        દા.ત. દરિયા, રૂપિયા, વાણિયા, કડિયા, ગાંઠિયા, ઘડિયાળ, કાઠીયાવાડ, પટોળિયા વગેરે...

૭) શબ્દાંતે ‘ઇય’ વાળા શબ્દોમાં દીર્ઘ ‘ઈ’- ી ની માત્રા કરવી.

દા.ત. રાજકીય, રાષ્ટ્રીય, વિદ્યાકીય, માનનીય, આદરણીય, નાટકીય, ભારતીય, ભાષાકીય, સંચાલકીય, શાળાકીય, નાણાકીય વગેરે...

૮) આ ઉપરાંત બંને ‘ઇ’ હ્રસ્વ થતા હોય તેવા કેટલાક શબ્દો જોઈએ તો ...

સ્થિતિ, તિથિ, ટિકિટ, ગિરિ, મિતિ, ભૂમિતિ, સમિતિ

 

(૯) શબ્દમાં આવતા ‘(રેફ) પૂર્વે ‘ઈ-ઊ’ દીર્ઘ હોય છે.
કીર્તન, તીર્થ, જીર્ણ, મૂર્તિ, સ્ફૂર્તિ, ચૂર્ણ, સૂર્ય, સંપૂર્ણ, કીર્તિ, દીર્ઘ, શીર્ષક, આશીર્વાદ, ઈર્ષા, ઊર્ધ્વ, ઊર્મિ, મૂર્ચ્છા, ધૂર્ત, મૂર્ખ, ઊર્જા, પૂર્ણિમા, પ્રકીર્ણ.
અપવાદ – ઉર્વશી

(૧૦) ‘ય’ પહેલાં આવતો ‘ઇ’ હ્રસ્વ થાય છે.
ક્રિયા, સક્રિય, નિષ્ક્રિય, પ્રિય, નિયામક, ક્ષત્રિય, ઇંદ્રિય, હોશિયાર, કાઠિયાવાડ, ખાસિયત, મિયાં, એશિયા, દરિયો, રશિયા, ઓશિયાળું, કજિયો, ખડિયો, ચડિયાતું, રેંટિયો, કરિયાતું, પિયર, દિયર, નાળિયેર, ફેરિયો.

(૧૧) શબ્દના છેડે આવતા ‘ઈશ’, ‘ઈન્દ્ર’માં દીર્ઘ ‘ઈ’ કરવામાં આવે છે.
અવનીશ, જગદીશ, ગિરીશ, રજનીશમ સત્તાધીશ, ન્યાયાધીશ, યોગેન્દ્ર, ભોગીન્દ્ર, રવીન્દ્ર, હરીન્દ્ર, મુનીન્દ્ર.

(૧૨) નીચેના શબ્દોનાં નારીજાતિના રૂપમાં હ્રસ્વ ‘ઇ’ આઅવે છે.
તપસ્વી-તપસ્વિની, વિદ્યાર્થી-વિદ્યાર્થિની, યોગિ-યોગિની, માયાવી-માયાવિની, તપસ્વી-તપસ્વિની, સુહાસિની, મોહિની, વિનોદિની, ગૃહિણી, વિલાસિની, હેમાંગિની, મૃણાલિની, વીણાવાદિની, સરોજિની, નંદિની, પદ્મિની.

(૧૩) નીચેના શબ્દોમાં નામવાચક પ્રત્યય ‘તા’ કે ‘ત્વ’ લગાડાતાં અંતે આવતો દીર્ઘ ‘ઈ’ હ્રસ્વ થાય છે.
દા.ત. ઉપયોગી-ઉપયોગિતા, તેજસ્વી-તેજસ્વિતા, સ્વામી-સ્વામિત્વ, ઓજસ્વી-ઓજસ્વિતા.

(૧૪) શબ્દમાં જોડાક્ષર પહેલાંના ઇ, ઉ હ્રસ્વ હોય છે. જેમ કે -
દા.ત. શિષ્ય, ભિસ્તી, મુક્કો, દિવ્યા, ઉત્સાહ, રુદ્ર, લુચ્ચો, ક્લિષ્ટ, પરિશિષ્ટ, હુલ્લડ, જુસ્સો, ખિસ્સાકોશ, સિક્કો, કિસ્મત, દુશ્મન, તુક્કો, પુત્ર, પુષ્પ, સમુદ્ર, શુક્ર, શુદ્ધ, બુદ્ધ, અનિષ્ટ, મુક્ત, પુષ્કળ, મનુષ્ય, ઉત્સાહ, દુષ્ટ, મિત્ર, વિશ્વ, વિષ્ણુ, ચિત્ર, વિદ્યુત, વિદ્યા, ઇચ્છા, પવિત્ર, સંક્ષિપ્ત, સંદિગ્ધ.
અપવાદ : તીવ્ર, શીઘ્ર, ગ્રીષ્મ, ભીષ્મ, સૂક્ષ્મ, સૂત્ર, શૂન્ય, મૂલ્ય, દીક્ષા.

(૧૫) નીચેની જગ્યાએ અનુસ્વાર મુકાય છે.
 હું અને તું, મેં, તેં, સર્વનામમાં-
 બોલું, લખું તેવા ક્રિયાપદોમાં-
 બોલવું, વાંચવું તેવા ક્રિયાપદોમાં-
 પોતાનું, રાજાનું, મીનાનું, ઘોડાનું શ્યામનું, વગેરેમાં....
 ઘરમાં, નદીમાં, શાળામાં –‘આમાં’ ‘ઓલામાં’ ‘પેલામાં’ એમ સ્થાન દર્શાવે તે અધિકરણ વિભક્તિમાં જ અનુસ્વાર આવે માતા માટે ‘મા’ વપરાય તેમાં નહીં.
 ખાતું, પીતું, લખતું, જ્યાં, ત્યાં, ક્યાં… વગેરેમાં અનુસ્વાર આવે.



સોજન્ય - સાહિત્ય પરિવ્રાજક

જો

રવિવાર, 8 ઑગસ્ટ, 2021

વેક્સિન માટે સર્ટિફિકેટ


  👈અહી ટચ કરો .


સરકારશ્રીની એક વધુ‌ સુવિધા::

વેકસીન લીધાનું સર્ટિફિકેટ હવે‌ તમારા વોટ્સએપ ‌ઉપર....



ફકત લીંક ટચ કરો અને વોટસએપ
માં ઓટોમેટિક પહોંચી જસો...


તરત જ તમારા રજીસ્ટર્ડ ‌મોબાઈલમા OTP આવશે.

વોટ્સએપ માં આ OTP આપો.
તમારા મોબાઇલ ‌ઉપર જેટલા મેમ્બર રજીસ્ટર થયા હોય તે‌નુ લિસ્ટ આવશે.
જે સર્ટિફિકેટ જોઈતું ‌હોય તે‌ મેમ્બરનો‌ નંબર મોકલો.

સર્ટિફિકેટ આવી જશે.

                     Download સર્ટીફીકેટ* 👈👈👈 અહી ટચ કરો 


 સ્વાદિષ્ટ અથાણાં ફકત 130 પ્રતિ કિલ્લો.9228435764







ટીકા કરણ          .

ગુરુવાર, 5 ઑગસ્ટ, 2021

વ્હાલી દીકરી યોજના


વિડિયો જુવો અહી ☝️




વ્હાલી દીકરી યોજનાનો હેતુ   
ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા “વ્હાલી દીકરી યોજના” અમલમાં મુકવામાં આવેલી છે. રાજ્યની તમામ દીકરી માટે યોજના બનાવવા ગુજરાત રાજ્ય સતત ચિંતિત રહી છે. વ્હાલી દીકરી યોજના દ્વારા દીકરીઓનું જન્મપ્રમાણ વધે, દીકરીઓનો શિક્ષણમાં ડ્રોપઆઉટ રેશિયો ઘટાડવો તથા દીકરીઓ/સ્ત્રીઓનું સમાજમાં સર્વાંગી સશક્તિકરણ થાય તે મહત્વના ઉદ્દેશ સાથે આ યોજના અમલીકૃત બનાવી છે. 

વ્હાલી દીકરી યોજના અંતર્ગત સ્ત્રીઓનું શિક્ષણને ઉત્તેજન મળી રહે તથા સ્ત્રીભૃણ હત્યા અટકાવવા, બાળલગ્નો અટકાવવા માટે ગુજરાત સરકાર કૂખથી કરિયાવર સુધી દરકાર લઈ માટે જનતા માટે વ્હાલી દીકરી યોજના અમલમાં મૂકવામાં આવી છે.

Vahali Dikri Yojana Benefits

વહાલી દીકરી યોજના લાભ


વ્હાલી દીકરી યોજનામાં લાભાર્થી દીકરીને કુલ ત્રણ હપ્તામાં સહાયની રકમ ચૂકવવામાં આવશે. આ યોજના અંતર્ગત લાભાર્થી દીકરીને ત્રણ હપ્તામાં કુલ રૂપિયા 110000 (એક લાખ દસ હજાર) મળવા પાત્ર થશે.


પ્રથમ હપ્તામાં – લાભાર્થી દીકરીઓને પ્રથમ ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 4000/- (ચાર હજાર રૂપિયા) મળવાપાત્ર થશે.


બીજો હપ્તો પેટે – લાભાર્થી દીકરી નવમાં ધોરણમાં પ્રવેશ વખતે રૂ. 6000/- મળવાપાત્ર થશે.

છેલ્લા હપ્તા થશે.અને અંતિમ હપ્તા પેટે– લાભાર્થી દીકરી 18 વર્ષની ઉંમર કરે તેને ઉચ્ચ શિક્ષણ/લગ્ન સહાય તરીકે કુલ 100000/- (એક લાખ) સહાય મળવાપાત્ર થશે પરંતુ દીકરીના બાળલગ્ન થયેલ ન હોવા જોઈએ.

નોંધ:- વ્હાલી દીકરી યોજના અંતર્ગત લાભાર્થી દીકરી 18 વર્ષ પહેલાં મૃત્યુ પામે તો ‘બાકી સહાય’ મળવાપાત્ર થશે નહીં.

વ્હાલી દીકરી યોજના કોને મળે? (તેની પાત્રતા)
1. તા.02/08/2019 ના રોજ અને ત્યારબાદ જન્મેલ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

2. દંપતિ(પતિ-પત્ની)ની પ્રથમ ત્રણ સંતાનો પૈકીની તમામ દીકરીઓને વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે.

3. અપવાદરૂપ(ખાસ) કિસ્સામાં બીજી/ત્રીજી પ્રસુતિ વખતે કુટુંબમાં એક કરતાં વધારે દિકરીઓનો જન્મ થાય અને દંપતિની દીકરીઓની સંખ્યા ત્રણ કરતાં વધુ થતી હોય તો પણ તમામ દીકરીઓને vahali dikri yojana નો લાભ મળવાપાત્ર થશે.

4. વ્હાલી દીકરી યોજના આવક મર્યાદા બાબતે ઠરાવની જોગવાઈ મુજબ લાભ મેળવવા માટે દંપતિની (પતિ-પત્નીની સંયુક્ત) વાર્ષિક આવક મર્યાદા (Vahali Dikri Yojana Income Limit) ગ્રામીણ અને શહેરી વિસ્તાર માટે એક સમાન રૂ. 200000/- (બે લાખ) કે તેથી ઓછી હોવી જોઈએ.

5. બાળલગ્ન પ્રતિબંધક અધિનિયમ-2006 ની જોગવાઈઓ મુજબ પુખ્તવયે લગ્ન કરેલ હોય તેવા દંપતિની દીકરીઓને જ વ્હાલી દીકરી યોજનાનો લાભ મળવાપાત્ર થશે.

વ્હાલી દીકરી યોજનાનો લાભ લેવા માટે ડોક્યુમેન્ટ(Document)
1. દીકરીના જન્મનું પ્રમાણપત્ર

2. દીકરીનો આધારકાર્ડ નંબર (જો હોય તો)

3. માતા-પિતાના આધારકાર્ડ

4. માતા-પિતાનું જન્મનું પ્રમાણપત્ર

5. આવકનો દાખલો

6. દંપતિના પોતાના હયાત તમામ બાળકોના જન્મના દાખલા

7. લાભાર્થી દીકરીના માતા-પિતાના લગ્નનું સર્ટિફિકેટ(પ્રમાણપત્ર)

8. વ્હાલી દીકરી યોજનાનું નિયત નમૂનામાં સક્ષમ અધિકારી સમક્ષ કરેલું દંપતિનું સોગંદનામું

9. અરજદારના રેશનકાર્ડની નકલ.

વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ ક્યાંથી મેળવવું અને ક્યાં આપવું?
1. ગ્રામસ્તરે સંકલિત બાળ વિકાસ યોજના(ICDS) દ્વારા ચાલતી આંગણવાડી કેન્દ્ર પરથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે તથા ગ્રામ પંચાયત ખાતે Digital Gujarat Portal ની કામગીરી કરતા VCE (Village Computer Entrepreneur) પાસેથી પણ વિનામૂલ્યે મેળવી શકો છો.

2. તાલુકાસ્તરે જિલ્લા પંચાયત હસ્તક આવેલી તાલુકા “સંકલિત બાળ વિકાસ યોજના અધિકારીશ્રી(ICDS)” ની કચેરી ખાતેથી વ્હાલી દીકરી યોજનાનું ફોર્મ વિનામૂલ્યે મળશે.

3. જિલ્લા સ્તરે મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી ખાતે વ્હાલી દીકરી યોજનાનું અરજી ફોર્મ વિનામૂલ્યે(મફત) મળશે.

Vahali Dikari Yojana form pdf

મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વહાલી દીકરી યોજના ઠરાવના આધારે લાભાર્થીઓના લાભ મેળવવા સરળતા રહે તે માટે અધિકૃત અરજીપત્રક જાહેર કરેલ છે. vahali dikri yojana 2021 form મેળવવા માટે ઉપર
આપેલા ફ્રોમ અને સોગંધ નામ
ને ટચ કરો અને ડાઉનલોડ કરો.

Download Vhali Dikari Yojana Form
વ્હાલી દીકરી યોજના બાબતે અન્ય માહિતી:
વ્હાલી દીકરી યોજના માહિતી બાબતે મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા અરજી કરવાની સમયમર્યાદામાં વધારો કરવામાં આવેલ છે. Vahali Dikari Yojana in Gujarat 2021 માં સુધારા ઠરાવ અન્‍વયે Covid-19 તથા લોકડાઉનને કારણે અરજી ન કરી શકનાર અરજદારો માટે આ મુદ્દતમાં વધારો કરવામાં આવેલ છે

 જેમાં તા- 02/08/2019 થી તા- 31/03/2020 સુધીમાં જન્મેલ દીકરીના કિસ્સામાં અરજી કરવાની સમયમર્યાદામાં 6 મહિના વધારો કરવામાં આવેલ છે. દીકરીના જન્મની તારીખથી 18 મહિનાની અંદર અરજી કરવાની રહેશે.

વ્હાલી દીકરી યોજના બાબતે પ્રશ્નોત્તરી
1. વ્હાલી દીકરી યોજના અન્‍વયે આવક અંગેનું પ્રમાણપત્ર રેશનકાર્ડ મુજબ કુંટુબના વડા એટલે કે દીકરીના દાદાનું કે દાદીનું ચાલે?

       વ્હાલી દીકરી યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ “દીકરીના માતા-પિતાની કુલ વાર્ષિક આવકનું પ્રમાણપત્ર માંગેલ હોવાથી સંયુક્ત રેશનકાર્ડ મુજબ દીકરીના ‘દાદા કે દાદી” ચાલે નહીં.

2. વ્હાલી દીકરી યોજનાનું સોગંદનામું માટે કોઈ નિયત નમૂના ખરો?

       વ્હાલી દીકરી યોજના સોગંદનામું માટે નમૂનો અરજી ફોર્મ સાથે જ નિયત સોગંદનામું માટે આપેલ છે જેથી તેના મુજબ કરવાનું રહેશે.

3. vahali dikri yojana helpline number & vahali dikri yojana toll free number નંબર ખરો?

       વ્હાલી દીકરી યોજના માહિતી માટે હેલ્પલાઈન નંબર માટે સંબંધિત જિલ્લાકક્ષાએ આવેલી “જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી” ખાતે વ્હાલી દીકરી યોજનાની વધુ માહિતી મળી રહેશે.













ફોર્મ ડાઉનલોડ કરો.





સોગંધ નામુ .....ડાઉનલોડ કરો.






સ્વાદીષ્ટ અથાણાં
130 પ્રતિ કિલો
9228435764