*જીવન નું કટુ સત્ય*
તમારું કરોડો નું ઘર તેમાં ચહેરો દેખાય તેવો આરસ, તેના ઉપર મખમલી ગાલીચો, છત પર નેત્રદિપક જેવી રોશની અને ઝુમ્મર, આંખ અંજાય જાય તેવું ફર્નિચર.
આખું આયુષ્ય કષ્ટ કરીને
ઉભા કરેલ આ ઘર મા,
*"ગુજરી ગયા પછી"*
કલાકમાં ઉપાડવાની સગાંવહાલાંની ઉતાવળ.
ઘરમાં સુવા માટે માસ્ટર બેડરૂમ, તેના ઉપર ઈમ્પોર્ટ કરેલ ગાદી, ઝકાસ મૅચિંગ બેડશીટ. પોચા પોચા તકિયા, ચાદર, બ્લૅન્કેટ.
*"શબ"*
દવાખાનેથી ઘરે લાવ્યા ત્યારે,
એક જૂનો ખાટલો,
એના ઉપર જૂની સાચવી રાખેલી બેડશીટ, કવર ફાટેલું ઓશીકુ.
ઘરે ભગવાન ના મંદિર મા
ચાંદીની કંકાવટી, દીવો, અને સુગંધી અગરબત્તી, સુવાસીક ધૂપ.
*શબ પાસે*
છેલ્લે મૂકે જુના પીત્તળનો દીવો, અને પાંચ રૂપિયા વાળી ફાલતુ અગરબત્તી.
ઘર માં 5 લાખનું બાથરૂમ, તેમાં સ્નાન કરવા માટે ટબ બાથ, ગરમ પાણી નો ફુવારો, ચારે કોર અરીસા.
*છેલ્લો કાર્યક્રમ તો જુવો.*
તમને નવરાવવા માટે મૂકેલુ ગરમ પાણી બહાર ખુલ્લામા તાપતુ હોય છે. છેલ્લું નાવણિયું (આંગ ઘોળ) રસ્તા ઉપર, નવરાવતા વખતે સાબુ સુધ્ધા પાંચ રૂપિયા વાળો.
તમારા સગા માં થી કોઈ પણ માઇનો લાલ એમ નહી કહેશે કે આની છેલ્લી આંગઘોળ બાથરૂમમાં સોવર નીચે થવા દયો. એને મસ્ત લક્ષ સાબુ વડે તો નવડાવો.
આખી જિન્દગી બ્રાન્ડેડ કપડાં કબાટ ભરી ને અને છેલ્લી ક્ષણે એક જોડી કપડાં અને તે પણ સસ્તા લાવવાનું ફરમાન છૂટે.
માદારપાટમાં ત્રણ બટન વાળો શર્ટ, નાડી વાળો જ લેંઘો. એક ગાંધી ટોપી.
આવું કોઈ નહિ બોલે કે,
જન્મભર બ્રાન્ડેડ કપડાં પહેર્યા છે. તો આને બ્રાન્ડેડ જ પહેરાવો. એણે જ તો કમાવેલુ છે.
દરવાજામાં દસ લાખની ગાડી, તેમાં ચાલક ડ્રેસધારી, તેમાં વટ થી રોજ ફરતો માણસ.
અને આજે દસ લાખની ગાડી નો છેલ્લે તમને ઉપયોગ તો ઝીરો જ ને કારણકે સ્મશાનમાં જતી વખતે કોર્પોરેશન ની ગાડી, અને પાલીકા જ ચક્રધારી.
મેં આજ સુધી સાંભળ્યું નથી કે આયુષ્ય ભર આ માણસ લગઝરી ગાડીમાં ફર્યો છે તો તેજ ગાડીમાં તેને સ્મશાન સુધી લઈ જાવ ને.
રાજા હોય કે રંક,
ગરીબ હોય કે શ્રીમંત,
સહુને એકજ માપે
એક મટકી પકડે ,
ચાર જણા ખાંધ આપે.
કોઈને ચંદન ની ચિપ્સ,
કોઈના નસીબમાં ઘી.
એજ ચિતા
એજ સમશાન.
*મિત્રો,*
હું આજે એટલા માટે આ મરણ ની વાત નો ઉલ્લેખ કરૂ છુ.
કે માણસે જરૂર કમાવવું, માણસોએ જરૂર આલીશાન બંગલા બંધાવવા, માણસોએ તેમનું જીવન સુખ સમાધાન જેવું જીવવું જોઇયે. માણસોએ જીવનમાં રહેલ સુખોનો આનંદ જરૂર લૂંટવો જોઇયે.
*પણ,*
માલમત્તા એટલી પણ ભેગી ના કરો, જેથી કરીને આગલી પેઢીમાં આપસમાં વાદ વિવાદ અગ્ની રૂપે પ્રગટ થાય.
મારો બંગલો થઈ ગયો,
હવે મારા ભાઈનો,
અરે મારા મિત્રનો પણ થવો જોઈયે,
એવી વિચારધારા રાખો.
કોઈ અનાથના નાથ બનો.
ગરીબોને મદદ કરીને,
તેમને આર્થિક દ્રષ્ટિયે સક્ષમ કરો.
જીવનમાં એકાદુ એક એવું
કામ કરો કે તમારી આગળની
પેઢી યાદ કરે.
પરોપકારી બનો.
કમાવેલા રક્કમ માથી અમુક ચોક્કસ રકમ તમે તમારા કુટુંબ તેમજ સમાજ માટે ખર્ચ કરો.
જીવન માં તમારી આસપાસ જાણતા અજાણતા તમને જે કામ આવ્યા છે તેમને ગુપ્ત મદદ કરો. પૈસા ની લેતી દેતી માં થોડું જતું કરવા ની આદત રાખો. કોઈ માંગે એના કરતાં પણ એને વધુ આપો.
આ બધું ભેગું કરેલું પોતે માણતા અને આપતાં જીવતે જીવ પોતા ના હાથે કરી ને જાવ.
🔥💐🔥💐🔥💐🔥💐
*જેને આ સમજાયું,*
*તેને જીવનનું રહસ્ય સમજાયું.!*
🙏🏻🧎🏻♂️🙏🏻
19/01/2021
*💐💐मृत्यु अटल सत्य है💐💐*
एक राधेश्याम नामक युवक था | स्वभाव का बड़ा ही शांत एवम सुविचारों वाला व्यतयक्ति था | उसका छोटा सा परिवार था जिसमे उसके माता- पिता, पत्नी एवम दो बच्चे थे | सभी से वो बेहद प्यार करता था |
इसके अलावा वो कृष्ण भक्त था और सभी पर दया भाव रखता था | जरूरतमंद की सेवा करता था | किसी को दुःख नहीं देता था | उसके इन्ही गुणों के कारण श्री कृष्ण उससे बहुत प्रसन्न थे और सदैव उसके साथ रहते थे | और राधेश्याम अपने कृष्ण को देख भी सकता था और बाते भी करता था | इसके बावजूद उसने कभी ईश्वर से कुछ नहीं माँगा | वह बहुत खुश रहता था क्यूंकि ईश्वर हमेशा उसके साथ रहते थे | उसे मार्गदर्शन देते थे | राधेश्याम भी कृष्ण को अपने मित्र की तरह ही पुकारता था और उनसे अपने विचारों को बाँटता था |
एक दिन राधेश्याम के पिता की तबियत अचानक ख़राब हो गई | उन्हें अस्पताल में भर्ती किया गया | उसने सभी डॉक्टर्स के हाथ जोड़े | अपने पिता को बचाने की मिन्नते की | लेकिन सभी ने उससे कहा कि वो ज्यादा उम्मीद नहीं दे सकते | और सभी ने उसे भगवान् पर भरोसा रखने को कहा |
तभी राधेश्याम को कृष्ण का ख्याल आया और उसने अपने कृष्ण को पुकारा | कृष्ण दौड़े चले आये | राधेश्याम ने कहा – मित्र ! तुम तो भगवान हो मेरे पिता को बचा लो | कृष्ण ने कहा – मित्र ! ये मेरे हाथों में नहीं हैं | अगर मृत्यु का समय होगा तो होना तय हैं | इस पर राधेश्याम नाराज हो गया और कृष्ण से लड़ने लगा, गुस्से में उन्हें कौसने लगा | भगवान् ने भी उसे बहुत समझाया पर उसने एक ना सुनी |
तब भगवान् कृष्ण ने उससे कहा – मित्र ! मैं तुम्हारी मदद कर सकता हूँ लेकिन इसके लिए तुम्हे एक कार्य करना होगा | राधेश्याम ने तुरंत पूछा कैसा कार्य ? कृष्ण ने कहा – तुम्हे ! किसी एक घर से मुट्ठी भर ज्वार लानी होगी और ध्यान रखना होगा कि उस परिवार में कभी किसी की मृत्यु न हुई हो | राधेश्याम झट से हाँ बोलकर तलाश में निकल गया | उसने कई दरवाजे खटखटायें | हर घर में ज्वार तो होती लेकिन ऐसा कोई नहीं होता जिनके परिवार में किसी की मृत्यु ना हुई हो | किसी का पिता, किसी का दादा, किसी का भाई, माँ, काकी या बहन | दो दिन तक भटकने के बाद भी राधेश्याम को ऐसा एक भी घर नहीं मिला |
तब उसे इस बात का अहसास हुआ कि मृत्यु एक अटल सत्य हैं | इसका सामना सभी को करना होता हैं | इससे कोई नहीं भाग सकता | और वो अपने व्यवहार के लिए कृष्ण से क्षमा मांगता हैं और निर्णय लेता हैं जब तक उसके पिता जीवित हैं उनकी सेवा करेगा |
थोड़े दिनों बाद राधेश्याम के पिता स्वर्ग सिधार जाते हैं | उसे दुःख तो होता हैं लेकिन ईश्वर की दी उस सीख के कारण उसका मन शांत रहता हैं |
दोस्तों इसी प्रकार हम सभी को इस सच को स्वीकार करना चाहिये कि मृत्यु एक अटल सत्य हैं उसे नकारना मुर्खता हैं | दुःख होता हैं लेकिन उसमे फँस जाना गलत हैं क्यूंकि केवल आप ही उस दुःख से पीड़ित नहीं हैं अपितु सम्पूर्ण मानव जाति उस दुःख से रूबरू होती ही हैं | ऐसे सच को स्वीकार कर आगे बढ़ना ही जीवन हैं |
कई बार हम अपने किसी खास के चले जाने से इतने बेबस हो जाते हैं कि सामने खड़ा जीवन और उससे जुड़े लोग हमें दिखाई ही नहीं पड़ते | ऐसे अंधकार से निकलना मुश्किल हो जाता हैं | जो मनुष्य मृत्यु के सत्य को स्वीकार कर लेता हैं उसका जीवन भार विहीन हो जाता हैं और उसे कभी कोई कष्ट तोड़ नहीं सकता | वो जीवन के हर क्षेत्र में आगे बढ़ता जाता हैं |
*💐 प्रेषक अभिजीत चौधरी*💐
*सदैव प्रसन्न रहिये!!*
*जो प्राप्त है-पर्याप्त है!!*
🙏🙏🙏🙏🙏🌳🌳🙏🙏🙏🙏
ધોરણ પાંચ સુધી સ્લેટ ચાટવાથી કેલ્શિયમ ની ઉણપ પૂરી કરવી એ અમારી કાયમી ટેવ હતી..!!
અને ભણવાનો તણાવ ??
પેન્સિલના પાછલો હિસ્સો ચાવી ચાવી ને તણાવમુક્ત થઈ જતા હતા..!!
અને હા ... ચોપડીઓના વચ્ચે વિદ્યાના ઝાડનું ડાળુ અને મોરના પિછાને મૂકવાથી અમે હોશિયાર થઈ જઈશું એવી દૃઢ માન્યતા હતી..!!
અને કપડાની થેલીમાં તો ચોપડા ગોઠવવા એ ..
અમારું આગવું કૌશલ્ય હતું
ચોપડા ગોઠવવા એ જ એ જમાનામાં હુંન્નર મનાતું હતું...!! અને .. ચોપડીઓ ઉપર પુઠા ચડાવવા એ અમારા જીવનનો વાર્ષિક ઉત્સવ હતો ...
અને માતા-પિતાને અમારા તો ભણતરની કોઈ ફિકર કે ચિંતા જ નહોતી
વર્ષોના વર્ષો વીતી જતા છતાં અમારા માતા-પિતા ના પાવન પગલા ક્યારેય અમારી સ્કૂલ તરફ પડતા ન હતા...!!
અને અમારા દોસ્તો મજાના હતા.
જ્યારે સાયકલ લઈને જતા હતા ત્યારે એકને ડંડા ઉપર અને બીજાને કેરિયર પર બેસાડતા અને કેટલીયે મંઝિલો ખેડી હશે. એ અમને યાદ નથી ...
પરંતુ થોડી થોડી બસ અસ્પષ્ટ યાદો અમારી સ્મૃતિ પટલ પર છે...!!
એ જમાનામાં નવા નવા ટેલિવિઝન આવ્યા હતા.. કોઈ કોઈના ઘરે ટેલિવિઝન હતા જોવા જઈએ તો ક્યારેક ક્યારેક અમને કાઢી મૂકવામાં પણ આવતા.... છતાં અમને કોઈ અપમાન જેવું લાગતું ન હતું
નિશાળમાં શિક્ષકનો માર ખાતા ખાતા અને અંગૂઠા પકડતા પકડતા ક્યારેય શરમ સંકોચ અનુભવ્યો નથી કારણ કે ....
તે વખતે ક્યારેય અમારો "ઇગો" હર્ટ નહોતો થતો. કારણ કે ... અમને ખબર જ નહોતી કે ઇગો કઈ બલાનું નામ છે.?
માર ખાવો એ અમારા જીવનની દૈનિક સહજ પ્રક્રિયાનો ભાગ હતો...!!
અને મારવાવાળો અને માર ખાવા વાળો..
બંને ખુશ થતા હતા કારણ કે ..
એક ને એમ હતું કે ઓછો માર ખાધો ..
અને બીજાને એમ થતું હતું કે અમારો હાથ સાફ થઈ ગયો..!! આમ બંને ખુશ...!!
અમે ક્યારેય અમારા મમ્મી પપ્પા કે ભાઇ-બહેન ને એવું ન બતાવી શક્યા કે ...
અમે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ..
આજે અમે દુનિયાના ઉતાર-ચઢાવ નીચે દુનિયાનો હિસ્સો બની ચૂક્યા છીએ
કોઈ મિત્રો ને પોતાની મંઝીલ મળી ગઈ છે.
તો કોઈ મિત્રો મંઝિલ શોધતા-શોધતા આ દુનિયાની ભીડમાં ક્યાં ખોવાઈ ગયા તેની ખબર નથી...!!
એ સત્ય છે કે...
અમે દુનિયાના કોઈપણ છેડે હોઈએ પરંતુ ..
અમોને સચ્ચાઈ અને હકીકતો એ પાળ્યા હતા..
અમે સચ્ચાઈની દુનિયામાં જીવતા હતા.!!
અમો પોત પોતાના ભાગ્ય સાથે આજે જે પણ સપના જોઈ રહ્યા છીએ. તે સપના જ અમને જીવિત રાખી રહ્યા છે .
નહીતો ...
અમે જે જીવન જીવીને આવ્યા છીએ ....
તેની સામે હાલનું આ જીવન કાંઈ જ નથી...!!
અમે સારા હતા કે ખરાબ....
એ ખબર નથી પણ...
અમારો પરિવાર અને અમારા મિત્રો એક સાથે હતા એ જ મહત્વનું હતું...!
*દરેક વાલી મિત્રો 2 મીનીટ નો સમય કાઢી અચૂક વાંચો*
Do NOT Miss ....................
બાળકો જ્યારે .. આશોભનીય વર્તન કે વ્યવ્હાર કરે ..
ત્યારે તમારા ..૩૨ દાંત બતાવી હસવાનું ન રાખો😠
તમારા ૩૨ દાંત જોઈ બાળક વધારે પ્રોત્સાહિત થાય છે..
૫૦ થી ૬૦ વર્ષ પહેલાં ઘરમાં એક પ્રકારની મમ્મીની કે પપ્પાની ધાક હતી.....
સ્કૂલ મા શિક્ષકો ની ધાક હતી....
ઘરમાં માઁ બાપનો હાથ અને સ્કૂલમાં ટીચરની લાકડી ઉપડતી જ્યારથી બંધ થઈ ત્યાર થી પોલીસ ની લાકડીઓનો માર વધી ગયો...ભાષા ઉપર નું નિયંત્રણ જતું રહ્યું...
એવું ન વિચારતા એ સમયે વડીલોને બાળકો ઉપર પ્રેમ ન હતો.
અરે પ્રેમ તો એટલો હતો કે એ સમયે ઘરડાઘર નું પ્રમાણ નહીવત જેવું હતું હવે દરેક ચાર રસ્તે ઘરડાઘર ખુલવા લાગ્યા છે...
કુમળા મગજ માં બાવળ વાવી કેરી ની અપેક્ષા કેવી રીતે રખાય...?
ડિસિપ્લિન ઘરથી અને ઘડતર સ્કૂલ થી ચાલુ થાય છે.
જેનો સ્પષ્ટ અભાવ સમાજવ્યવસ્થા ઉપર આજે દેખાઇ રહ્યો છે....
સમય પ્રમાણે ઘરમા આવી જવું.
વડીલો સાથે સભ્યતાથી વર્તન વ્યવહાર કરવો..
ઘર ની બહાર નીકળીયે ત્યારે આંખ ના ઈશારાથી કંટ્રોલ કરવાની રીત માઁબાપ ની અનોખી હતી.
બહાર તોફાન કરતા બાળકો પણ આંખની ભાષા ઉપર સમજી લેતા.
ઘરે પહોંચ્યા પછી..માર પડવા નો...
આજે બાળકોને બોલવાનું કોઈ ભાન નથી હોતું.
નાના મોટા ની મર્યાદા કે કોઈ જ્ઞાન નથી..
કોઈ ના ઘરે સોફા, ફર્નિચર ઉપર કુદતા
અથવા ઘરમાં કોઈ પણ જાત નું નુકશાન કરતા બાળકોને તેના માઁ બાપ રોકતા નથી..
અથવા નજર અંદાજ કરતા હોય છે....
માઁ બાપના આવા વિચિત્ર વર્તન થી ઘણી વખત સામેની વ્યક્તિ દુઃખી થાય છે.
અથવા તેમના બાળકોને ઠપકો તેમના માઁ બાપ ને બદલે પોતે આપવો પડે છે...
બાળકોના ખરાબ વર્તન વ્યવહાર ઉપર હસી તાળીઓ પાડી તેને પ્રોતસહિત કરતા માઁ બાપ
એજ બાળકો પાસે ઘડપણમાં સારા વર્તન વ્યવહાર ની અપેક્ષા રાખતા હોય છે...
મહેમાન આવ્યા હોય ત્યારે તેની સામે અભદ્ર ડાન્સ કરાવી પોતાની જાત ને ફોરવર્ડ સમજતા માઁ બાપ
પોતાના બાળકો ને Navkar Mantra...ગાયત્રી મંત્ર...કે હનુમાન ચાલીસા...બોલતાં પણ શીખવાડતાં નથી..
આધુનિકતાની દોડ પોતાના બાળકોને સર્વ શ્રેષ્ઠ બનાવવાની હરીફાઈમાં સંસ્કૃતિ ને લાજે તેવું વર્તન માઁ બાપ કરવા લાગ્યા છે...
સમય સાથે આધુનિકતા સ્વીકારવી જોઈયે પણ...આધુનિકતાના નામે બાળકો ને સ્વચ્છંદી બનાવી આપણે આપણા પગ ઉપર કુહાડો નથી મારતા ને ?
અમારા ઘરે...આવેલ એક બાળક આખા ઘર માં ફરીને બોલ્યો.
અંકલ તમારી પાસે LED TV નથી..
અમારા જેવું..મોટું ફ્રીજ નથી ફોન નથી, કાર છે?
મેં કીધું નથી...
એટલે એ બાળક બોલ્યો, અંકલ
તો પછી તમે તો ગરીબ છો...
બેશરમ તેમના માઁ બાપ તેને વાળવાને બદલે હસવા લાગ્યા...
*
મેં કીધું....બેટા... તારા ઘર મા પૂજા નો રૂમ છે❓
**
એ બાળક એ તેના મમ્મી પપ્પા સામે જોઈ બોલ્યો.... પૂજા રૂમ ❓...એ કેવો હોય...
મેં કીધું આવ બેટા ..તને બતાવું....
પૂજા નો રૂમ જોઈને એ બોલ્યો... ના આવો કોઈ રૂમ અમારે ત્યાં નથી...
બેટા, જેના ઘર માં ભગવાનનું સ્થાન નથી,
એ દુનિયાની સૌથી વધુ ગરીબ વ્યક્તિ કહેવાય. પૂછી લે તારા મમ્મી પપ્પા..ને...
બાળક અને તેના મમ્મી પપ્પા નીચું માથું કરી સાંભળી રહ્યા....
* મિત્રો..
પોપટ બોલે ઘર ની વાણી..
તમે જેવું..બોલો..
તેવું તમારા બાળકો બોલે.....કુમળો છોડ હોય ત્યારે જેમ વાળો તેમ વળે..
એ યાદ રાખવું...
* એક વખત જીભ અને હાથ છૂટો થયો પછી તેને રોકવો..મુશ્કેલ છે..okk
* સાવધાન થઈ જાવ બાળકો ને અનુશાસન શીખવો,
* ખોટા લાડ નાં લડાવો,
* સારા સંસ્કાર આપો નહી તો પાછળ થી પછતાવા નો વારો આવશે...
* Do Not Miss.
[ ધી નો એક લોટો અને,
લાકડા ઉપર લાશ,
થઈ થોડા કલાકમાં રાખ,
બસ આટલી છે
*માણસની ઓકાત...*
🌀
એક બુઢા બાપ
સાંજે મરી ગયા
પોતાની આખી જીંદગી
પરિવારના નામે કરી ગયા
ક્યાંક રડવાનો અવાજ
તો ક્યાંક વાતમાં વાત
અરે જલ્દી લઈ જાઓ
કોણ રાખશે આખી રાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*
🌀
મર્યા પછી નીચે જોયું
નજારો નજર સામે જોયો
પોતાના મરણ પર
કોઈ લોકો જબરજસ્ત
તો કોઈ લોકો જબરજસ્તી
રડતાં હતાં
નથી રહ્યા જતાં રહ્યાં
ચાર દિવસ કરશે વાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*
🌀
છોકરો સારો ફોટો બનાવશે
સામે અઞરબતી મુકશે
સુગંધી ફુલોની માળા હશે
અશ્રુ ભરી શ્રધ્ધાંજલિ હશે
પછી એ ફોટા પર
ઝાળા પણ કોન કરશે સાફ
બસ આટલી છે
*માણસની ઓકાત...*
🌀
આખી જીંદગી
મારૂ મારૂં કર્યુ
પોતાના માટે ઓછું
બીજાના માટે વધારે જીવ્યા
કોઈ નહીં આપે સાથ
જશો ખાલી હાથ
તલભાર સાથે લઈ જવાની
નથી ઓકાત
બસ આટલી છે
*માણસની ઓકાત...*
🌀
પહેલા પોતાને સમજ્યો નહીં.
એટલે બીજાને સમજી શક્યાે નહિં,
પછી તો બિજા પર ઘાત
અને ખુદ ઉપર આઘાત !!
બસ આટલી છે
*માણસની ઓકાત...*
🌀
ભગવાને મનુષ્ય ના સર્જન વખતે તમામ વસ્તુઓ આપી દીધી.
પણ તે સમયે
એક વસ્તુ નીચે પડી ગયી,
જેને ભગવાને પગ નીચે દબાવી દીધી.
🌀
મનુષ્ય ગયા પછી લક્ષ્મીજી એ પૂછ્યું:
પ્રભુ તમે પગ નીચે શુ છુપાવ્યું ,
જે તમે મનુષ્ય ને
ન આપ્યું..!!
🌀
ત્યારે ભગવાને કહ્યું...
🌀
*મેં પગ નીચે "શાંતિ" છુપાવી છે,*
*જે મનુષ્ય બધું મળવા છતાંય એને માટે તરસશે અને ગમે ત્યાં તેને શોધશે પણ અંતે એ તો મારા ચરણો માં જ મળશે.*
🌀
સીયુ અગેઇન કરતાં તમારું એ આવજો મધમીઠું લાગે
હાય હેલો ફ્રેંડશીપ બને દોસ્તી તો શમણું અણદીઠું જાગે
હમદર્દીલાં દિલડાંનો ધબકાર સંભળાયે આલિંગન વિના
ચોટદાર એનો એવો ઉન્માદ આઈ લવ યુ અણકીધું વાગે
પરભોમમાં ઓમનું છૂંદણું જોઇને જોમ આવે
હોમસીકને આમ મળવા જાણે માભોમ આવે
હતાશ હું બેભાન રહું છો હો ઇ. આર. સારવારે
જોઉં તરત “કેમ છો” શબ્દ પડઘા થઈ આવે
ક્ષુધાસભર આળોટું વિદેશી વાનગી વચાળે
ખાઉં ઓડકાર જો ખીચડી ખાટી છાશ આવે
ચકરાઉં બસ નૉર્ડસ્ટ્રોમ મેસીસ ઝાકજમાળે
ચીંથરાને ચૂમું જો મૅઈડ ઈન ઇંડિયા આવે
લૉટરી કૂપન યા જૉબ-લેટર ગાર્બેજ ભાળે
ફાટેલ દેશી ટપાલમાં અક્ષર મોતી થૈ આવે
કુમ્ભકર્ણ થઈને નસ્કોરું ક્રીસમસનીય સવારે
સફાળો જાગું “જાગો રે” પ્રભાતિયે સાદ આવે
ભટકે બેતાળાભરી નયના ઇંટરનેટના મેળે
મળે ગુજરાતી ફોંટ તો બેસવાનું ઠામ આવે
ડોલર નામે સાહ્યબી છો ના દોમદોમ આવે
દોલતમાં દિલને ભાગે જો કાણી પાઇ આવે
કવિ શ્રી દિલીપ પટેલ (કેલિફોર્નિયા)
કાજળભર્યા નયનનાં કામણ મને ગમે છે,
કારણ નહીં જ આપું કારણ મને ગમે છે.
લજ્જાથકી નમેલી પાંપણ મને ગમે છે,
ભાવે છે ભાર મનને, ભારણ મને ગમે છે.
જીવન અને મરણની હર ક્ષણ મને ગમે છે,
એ ઝેર હોય અથવા મારણ મને ગમે છે.
ખોટી તો ખોટી હૈયાધારણ મને ગમે છે,
જળ હોય ઝાંઝવાનાં તો પણ મને ગમે છે.
હસવું સદાય હસવું, દુ:ખમાં અચૂક હસવું,
દીવાનગીતણું આ ડહાપણ મને ગમે છે.
આવી ગયાં છો આંસુ, લૂછો નહીં ભલા થઇ,
આ બારેમાસ લીલાં તોરણ મને ગમે છે.
લાવે છે યાદ ફૂલો છાબો ભરી ભરીને,
છે ખૂબ મહોબતીલી માલણ, મને ગમે છે
દિલ શું હવે હું પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
હું એટલે તો એને વેંઢારતો રહું છું,
સોગંદ જિંદગીના! વળગણ મને ગમે છે.
ભેટ્યો છું મોતને પણ કૈં વાર જિંદગીમાં!
આ ખોળિયાની જેમ જ ખાંપણ મને ગમે છે!
‘ઘાયલ’, મને મુબારક આ ઊર્મિકાવ્ય મારાં,
મેં રોઇને ભર્યા છે, એ રણ મને ગમે છે.
– અમૃત ‘ઘાયલ’
🙏🙏🙏🙏🙏🙏🙏
ઠાકુર
વાચંવા જેવો લેખ છે જેને લખેલું છે તેમને ધન્યવાદ
મમ્મી પપ્પા ની.મિલ્કત ની વહેચણી થતી હતી....બધા પોતાના અભિપ્રાય આપી રહ્યા હતા...હું શાંતિ થી પપ્પા મમ્મી ના ફોટા સામે જોઈ બેઠો હતો...
મિલ્કત ની વહેચણી મા આજે અગત્ય નો ભાગ ભજવનારા મમ્મી ની જીવલેણ બીમારી વખતે મોઢું ફેરવી ગયા હતા..મારી પત્ની સુધા એ દીકરી પણ ન કરે તેવી સેવા કરી હતી..તેનો સાક્ષી ભગવાન અને હું માત્ર હતો.
ઘડપણ અને સાથે માંદગી એપણ પથારી માં પછી...એ યાચના અને યાતના નું વર્ણન કરવું ઘણું દુઃખદ છે..છતાં આવા સંજોગો માં સુધા એ એક આદર્શ પત્ની ની ફરજ અદા કરી..આજે પણ જ્યારે મિલ્કત ની વહેચણી થતી હતી એ સમયે પણ તે અંદર ના રૂમ માં બેઠી હતી...
સોનું, રોકડ, બેન્ક ની ફિક્સ, શેર, વગેરે ની ઝીણવટ ભરી વહેચણી હાજર રહેલા ભાઈઓ અને બહેન કરી..રહ્યા હતા..સાથે ભાઈઓ ની પત્ની અને બહેન બનેવીઓ પણ હાજર હતા..
પિયર પક્ષ ની મિલ્કત માં ભાગ પડતા હોય ત્યારે જમાઈ ને દૂર રાખનારી દીકરી કહો કે પત્ની સસુર પક્ષ ની મિલ્કત માં ભાગ પડે ત્યારે કોર્ટ ના જજ જેવું કામ કરતી હોય છે..એ પણ હું મૂંગા મોઢે જૉઈ રહ્યો હતો...
મિલ્કત ની બધી વહેચણી પુરી થયા પછી હું ઉભો થયો..
મમ્મી ના રૂમ માં ગયો....મમ્મી ના ચશ્મા, થાળી, વાટકો,
ગાદલું, રજાઈ ઓશીકું, બેડપેન, પીવાનો પ્યાલો લોટો...
વહીલ ચેર વગેરે લઈ હું ક્રમશઃ બહાર આવ્યો.....
મેં ભીની આંખે કીધું....આની વહેચણી તો બાકી રહી ગઈ...
ત્યાં નાના ભાઈ ની વહુ બોલી આ બધું કોઈ ગરીબ બ્રાહ્મણ ને આપી દયો...આ વાપરેલી વસ્તુ કોણ વાપરશે...
હું મનમાં હસી પડ્યો...
મમ્મી ના પાર્થિવ શરીર ઉપર થી સોનાના ની બંગડી, ચેન, વિટી અને બુટ્ટી ઉતારવા માં અગ્રણીય રહેનાર નાનાભાઈ ની વહુ ને મારી માઁ નું સોનુ વાપરેલ ન લાગ્યુ.. તેનો તો ભાગ સરખે ભાગે પાડી લઈ લીધું..અને આ બધી વસ્તુ બ્રાહ્મણ ને આપી દેજો..વાહ રે દુનિયા વાહ...
મેં છેલ્લે કીધું આપણા ઘર માં બાપદાદા વખત ની જૂની પૂજા છે...કોઈ ને સાથે લઈ જવાની ઈચ્છા હોય તો.
મને જવાબ ની ખબર હતી....છતાં પણ ..મેં વાત મૂકી
બધા એકબીજા ની સામે જોવા લાગ્યા...કોઈ કહે ફાસ્ટ લાઈફ માં અમે પૂજા નહિ સાચવી શકીયે..કોઈ કહે..મંદિર માં પધરાવી દયો...કોઈ કહે તમેજ વર્ષો થી.પૂજા કરો છો તમેજ રાખો..
વર્ષો થી મારી માઁ ની પૂજા સમજો કે સેવા અમે જ કરતા હતા..તો શું માઁ બાપ ની મિલ્કત મારી થઈ ગઈ....?
હું મનોમન વિચારતો રહ્યો...
હે પ્રભુ...આ લોકો ને ખબર નથી એ પૂજા માં કેટલી તાકાત છે...કદાચ તારી મૂર્તિ સોનાની ધાતુ થી બની હોત તો આ લોકો પૂજા ઘરે લઈ જવા પડાપડી કરતા હોત.
એ લોકો કદાચ એવું વિચારતા હતા હશે કે તારી પૂજા કરવાથી ફાયદો શુ ? સ્વાર્થી દુનિયા છે.પ્રભુ.
તે લોકો થી અંતર બનાવ્યું છે તેનું કારણ હું સમજી ગયો . ફાયદો ન મળે તો તને પણ આ લોકો વેચી નાખે...
નાની બહેન બોલી ....તમારે નવા ઘર ની વ્યવસ્થા ન થાય ત્યાં સુધી આ ઘર માં રહો પછી આ ઘર નો પણ ફેસલો કરી નાખીએ....
મેં કીધું...એ ચિંતા ન કરો...તમે કોઈ ગ્રાહક શોધી લ્યો..હું અત્યારે જ ઘર ખાલ્લી કરવા તૈયાર છું....
મતલબ ..બધા એક સાથે બોલ્યા..
મતલબ સાફ છે....મારો...દીકરો દીપેન...અમને ઘણા વખત થી કેનેડા બોલાવે છે...પણ અમે મમ્મી ની તબિયત ને કારણે જતા ન હતા..મને એમ પણ હતું ભારત દેશ છોડી..મારા ભાઈ બહેન થી મારે દૂર નથી જવું...પણ એ માત્ર મારો ભ્રમ હતો...અને જયારે ભ્રમ ભાંગે ત્યારે કાં તો ભગવાન મળે નહીંતર જીવન જીવવા ની જડીબુટ્ટી મળે...
હું તો.ખુશ છું...મને તો ભગવાને મળ્યો અને જડીબુટ્ટી પણ
મારા પુત્ર દિપેન ના શબ્દો મને યાદ આવ્યા...
મારા પુત્ર દિપેન ને કેનેડા જતા મેં રોક્યો ત્યારે તેણે મને કીધું હતું....અહીં કોના માટે રહેવું છે...
પપ્પા તમે હજુ તમારું પોતાનું મકાન પણ નથી બનાવ્યું..
દાદા નાની ઉંમરે ગુજરી ગયા પછી ભાઈઓ અને બહેન ની જવાબદારી નિભાવવા માં તમે કોઈ બચત પણ કરી શક્યા નથી....તમે એવું ઈચ્છો છો...કે હું પણ આ ચક્કર માં પડી મારુ ભવિષ્ય બગાડું...
દુનિયા ઉગતા સુરજ ને પૂજે છે..પપ્પા ...
તક ભગવાન દરેક વ્યક્તિ ને આપે છે..કોઈ લાગણી થી કામ લે છે..કોઈ બુદ્ધિ થી...તમે લાગણી થી.કામ લીધું તેનું પરિણામ હું જૉઈ રહ્યો છું...
ત્યારે મને દીપેન ની વાત સમજાઈ ન હતી...તે બાળક હોવા છતાં એ લાગણી નો વ્યાપાર સમજી ગયો હતો...
એ કેનેડા જતા જતા એક શબ્દ બોલ્યો હતો...
પપ્પા જો દિખતા હે વો અપના નહિ..અપના હૈ વો દિખતા નહીં..
તમે તમારી અને મમ્મી ની તબિયત નું ધ્યાન રાખજો..
સંસાર લાગણીશીલ વ્યક્તિઓ ની તબિયત થી બજાવે છે...સ્વાર્થી નહીં પણ જાગૃત રહેજો..ભોળા બનજો પણ ભોટ નહીં..થોડા પણ ગફલત માં રહ્યા તો સંસાર તમારી લંગોટ પણ ખેંચી નાખશે....
હક્ક વગર નું લેવું નહીં...અને હક્ક નું હોય તે છોડવું નહીં...હક્ક વગર નું લેવા જઇયે તો મહાભારત નું સર્જન થાય..અને હક્ક નું જતું કરીયે તો રામાયણ નૂ સર્જન થાય....એટલે ભવિષ્ય માં કોઈ પણ નિર્ણય લ્યો તો લાગણીશીલ બની ન લેતા...
મેં ભગવાન ની પૂજા સામે જોઈ હસી ને કીધું..હે પ્રભુ તેં કેનેડા જોયું નથી ને? હવે જ્યાં હું ત્યાં તું...
મારી સાથે તું આવીશ ને....?..
ચલ સામાન તારો પેક...કર .
મિત્રો..
ભગવાન ને સમજવા નો પ્રયત્ન કરશે તો સુખી થશો.
અને કોઈ વ્યક્તિ ને સમજવા પ્રયત્ન કરશો તો દુઃખી થશો
👆👆👆👆👆👆👆👆👆
ઉપર ગમે ત્યાં ગીત ને ટચ કરો અને જુવો
*~~~~~~~મદદ~~~~~~~ એક કંપનીમાં બોસ દર ૨૫મી ડિસેંબરના રોજ એનાં ૩૦૦ માણસોના સ્ટાફ પાસેથી એક-એક હજાર ઉઘરાવીને ૩ લાખ જમા કરતો અને એમાં પોતાનાં તરફથી ૩ લાખ ઉમેરીને ૬ લાખની લોટરી ડ્રો કાઢતાે. એમાં જેનું નામ નીકળતું, એને ૬ લાખ બક્ષિસરૂપે મળતાં. એ કંપનીમાં જાડું-પોતા કરવાવાળી બાઇને રૂપિયાની બહું જરૂર હતી, એનાં દિકરાનું ઓપરેશન કરવાનું હતું. લોટરી એક જુગારની રમત હતી. એને ન લાગે તો દેખીતી રીતે એને હજારનું નુકસાન થાય એમ હતું, છતાં એણે હજાર રૂપિયાનું જોખમ લીધું હતું. એ ભગવાનને પ્રાર્થના કરતી હતી કે લાેટરી એને જ લાગે. મેનેજરને એની દયા આવતી હતી. એ પણ ચાહતો હતો કે ઇનામ એને જ લાગે. એણે યુક્તિ કરીને નામની કાપલી પર પાેતાના નામને બદલે એનું નામ લખીને કાપલી બાેક્ષમાં નાખી દીધી અને મનાેમન પ્રાર્થના કરી કે ઈનામ એનેજ લાગે. આમ તો ૩૦૦ માણસમાં પોતાનું એક નામ જતું કરવાથી ઇનામ એને જ લાગે એવી શક્યતા બહું ઓછી હતી. છતાં એમની ધાર્મિક લાગણીએ એમને એવું કરવા પ્રેર્યા. બધાની કાપલી એકઠી થયાં બાદ લાેટરી ડ્રો નો સમય આવી પહોચ્યો. બાેસે એક કાપલી કાઢી. કામવાળી અને મેનેજર, બન્નેની ધડકન વધી ગઇ. કોનું નામ નીકળશે, એની આતુરતાથી રાહ જોઈ રહ્યાં. એકજ પળમાં બાેસે વિજેતાનું નામ ઘાેષિત કર્યુ અને જાણે ચમત્કાર થયો. એ નામ કામવાળી બાઇનું હતું. એની આંખમાં હરખના આસું છલકાઇ ગયાં. મેનેજરની આંખાે પણ ભીની થઇ ગઇ. બોસે કામવાળી બાઇને ઇનામની રકમનું કવર આપ્યું. એણે આંખમાં આસું સાથે કહ્યું કે હવે મારાં દીકરાને કોઈ ભય નથી, હું મારાં દીકરાનું ઓપરેશન કરાવી શકીશ. સાચે હું બહું નસીબદાર છું. મારાં પર ભગવાનની અસીમ કૃપા છે. મેનેજર અમસ્તા જ લાેટરી બાેક્ષની બાજુમાં જઈને ઉભા રહ્યાં અને કૈાતુક ખાતર એમણે બીજી કાપલી કાઢીને જોઈ તો એની આંખો આશ્ચર્યથી પહોળી થઇ ગઇ. બીજી કાપલીમાં પણ કામવાળી બાઇનું જ નામ હતું. એમણે ત્રીજી કાપલી કાઢી ને જોઈ તો એ ચકરાઇ ગયા. ત્રીજીમાં પણ એનું જ નામ હતું. પછી તાે એમણે એક પછી એક તમામ કાપલી જોઈ તો દરેકે દરેકમાં એનું જ નામ લખેલુ હતું. એમની છાતી ગર્વથી ફૂલાઇ ગઇ. ઓફિસના બધાં કર્મચારીએ મૂક્ રહીને એને મદદ કરી હતી. એ લોકો ચાહત તાે લોટરી ડ્રો કર્યા વગર એને હાથમાં રોકડ રકમ આપી મદદ કરી શક્યાં હોત, પણ એમ ન કરતાં એમણે એને પોતાની હકની રકમ મળી હાેય એવી રીતે મદદ કરી. હમેશાં યાદ રાખજો જ્યારે પણ કોઈને મદદ કરો ત્યારે એને લાચારીનો એહસાસ ન થાય અને એનાં માનનું હનન થાય, એવી રીતે મદદ કરશાે તાે ખરાં અર્થમાં મદદ કરેલી ગણાશે.*
" ફૂલની માફક ખીલી જવાનું,
ખુદ્દારીથી જીવી જવાનું .
રીસાવાનું રાખ્યું છે , પણ
એક ઘડીમાં રીઝી જવાનું.
ધીરે ધીરે મક્કમતાથી
જીવન જીવતાં શીખી જવાનું.
દિલ ઈન્કારે જે કરવાનું
ત્યાંથી પાછા વળી જવાનું.
સત્કર્મો ને સંસ્કારોથી
ક્યાંક કોઈને ગમી જવાનું.
બીજાને અડચણ લાગે તો
તુર્તજ ત્યાંથી ખસી જવાનું.
નિત્ય મળે ના સમથળ રસ્તો,
ઢાળ ઉપર પણ ચઢી જવાનું.
ઊગવાનું ભરપૂર સવારે ,
સાંજ પડે ત્યાં ઢળી જવાનું.
" સૌમ્ય" જીવન નાજુક વસ્તર છે,
તૂટે ત્યાં ત્યાં સીવી જવાનું.
આગમવાણી :
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ,
માવતર જણ્યા મેલશે, ભૂપ લેશે ના ભાળ;
ભૂપ લેશે ના ભાળ, માણસ માણસ ને ખાશે,
સત્ય છુપાશે સુતલ, જૂઠ્ઠા જગ વખણાશે;
જીવતા જોશે લાખણા, પાપીનાં ચડશે પાળ,
બેટી કમાશે બાપ ખાશે, ભૂંડો આવશે કાળ !
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત,
કજિયાખોર કામિની, ઘણી જ ઓરશે ઘાત,
ઘણીજ ઓરશે ઘાત, બોલાવી બમણી બોલે,
એક કહો તાં તેર, સુણાવશે હોલે હોલે;
જીવતાં જોશે લાખણા, નહીં હોય નાત જાત,
ભેળો સાળો ભુવનમાં, રહેશે દિવસ ને રાત !
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ,
સુંદરી મુંડન કરાવશે, હશે નર ને લાંબા કેશ;
નર ને લાંબા કેશવળી, ચાલશે છટકા કરતો,
બેઠી હશે બાઇ બાકડે, પુરુષ પાણી ભરતો;
જીવતા જોશે લાખણા, આ દેશ થશે પરદેશ,
વિધવા શણગાર સજસે, સુહાગણ વિધવા વેશ !
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ,
ધરતી રહેશે તરસતી, નદિયુ સુકાશે નવાણ;
નદિયુ સુકાશે નવાણ, ખોરા સૌ ધાન જ ખાશે
મહેલો થાશે મસાણ, ત્યાં રમશે ચુડેલુ રાસે;
જીવતા જોશે લાખણા, ભુખરા ઉગશે ભાણ,
વાદળિયું વહેતી થશે, પવને કરી પલાણ !
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર,
જંગલ જંગલ નહીં રહે, વસ્તિનો થશે વિસ્તાર;
વસ્તિનો થશે વિસ્તાર, વનચર નગર વસશે,
તસુ ધરા ને કાજ, બેટા બાપ ને મારવા ધસશે;
જીવતા જોશે લાખણા, ભાઈ ભાઈ નો ખાર,
દરિયો ડુંગર ચડશે, ડુંગર થય જાશે ધાર !!
-દેવાયત પંડિત
*-ઘણી વાત સાચી પડતી જાય છે-*
🌷🌷🌷🌷🌷
*શર્ટનું ખિસ્સું અને માણસનું હૈયું*,
*બંને ડાબી બાજુ પર હોય છે*.
*પરંતુ, કડવી વાસ્તવિકતા એ છે, કે...*
*પહેલાંનાં જમાનામાં ખિસ્સું ખાલી હતું, ત્યારે હૈયું ભરેલું હતું...*
*અને આજે, ખિસ્સું ભરેલું છે, ત્યારે હૈયું ખાલીખમ છે...!!!*
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
જેમાં દુશ્મની ની જગ્યાએ ફક્ત કિટ્ટી હતી,
ફકત બે આંગળી જોડવાથી દોસ્તી થઈ જતી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
માત્ર હાર-જીત ની રમતો ની હોડ હતી,
નહીં કે પદ- પૈસા પાછળ ની દોડ હતી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
રામ – સીતા ની ચોકડી માં જગ્યા બુક થઈ જતી,
આજ ખુરશીઓ મળે પણ જગ્યા કાયમ નથી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
ટાયર ને લાકડી મારતા ગાડી ક્યાંય પહોંચી જતી,
આજે ગાડીઓ દોડે છે પણ મંઝિલ નથી મળતી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
વાહનો ની ટ્યૂબ પહેરી પાણી માં તરવાની મજા હતી,
યુ-ટ્યૂબ માં ડૂબી ને આજે યુવાની પુરી થઈ જતી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
મિત્રો ને શોધવામાં સંતાકૂકડી ની રમત પુરી થઈ જતી,
આજે સાચા સબંધો શોધવામાં ઉમર પુરી થતી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
ઠેકડા મારી કુંડાળા દાવ રમવાની મજા હતી,
વહેમો નાં કુંડાળા માંથી આજ બહાર જવાતું નથી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
લીંબુ ની શીર કોઈ આપે તો ચહેરા પર ખુશી આવી જતી,
આજે મોંઘી વસ્તુઓ મળે પણ માંગ પુરી થતી નથી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી.
જવાબદારી નાં પોટલાં બાજુ પર મૂકી એકવાર,
ફરી બાળપણ જીવવાની ઈચ્છા જતી નથી.
બાળપણ ના દિવસો ની મજા જ કંઈક અલગ હતી
અલ્પા સાતા..✍🏻
॥ દોહા ॥
શ્રી ગુરૂ ચરન સરોજ રજ, નિજ મન મુકુરૂ સુધારિ ।
બરનઉં રઘુબર બિમલ જસુ, જો દાયકુ ફલ ચારિ ॥
બુદ્ધિહીન તનુ જાનકે, સુમિરૌં પવન કુમાર ।
બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિં, હરહુ કલેશ વિકાર ॥
॥ ચૌપાઈ ॥
જય હનુમાન જ્ઞાન ગુન સાગર ।
જય કપીસ તિહું લોક ઉજાગર ॥
રામદૂત અતુલિત બલ ધામા ।
અંજનિ પુત્ર પવન સુત નામા ॥
મહાવીર વિક્રમ બજરંગી ।
કુમતિ નિવાર સુમતિ કે સંગી ॥
કંચન બરન વિરાજ સુવેસા ।
કાનન કુંડલ કુંચિત કેસા ॥
હાથ બજ્ર ઔર ધ્વજા બિરાજૈ ।
કાંધે મૂંજ જનેઊ સાજૈ ॥
શંકર સુવન કેસરી નંદન ।
તેજ પ્રતાપ મહા જગ બંદન ॥
વિદ્યાવાન ગુની અતિ ચાતુર ।
રામ કાજ કરિબે કો આતુર ॥
પ્રભુ ચરિત્ર સુનિબે કો રસિયા ।
રામ લખન સીતા મન બસિયા ॥
સૂક્ષ્મ રૂપ ધરિ સિયહિં દિખાવા ।
વિકટ રૂપ ધરિ લંક જરાવા ॥
ભીમ રૂપ ધરિ અસુર સંહારે ।
રામચંદ્ર કે કાજ સંવારે ॥
લાય સંજીવન લખન જિયાયે ।
શ્રી રઘુબીર હરષિ ઉર લાયે ॥
રઘુપતિ કીન્હીં બહુત બડ઼ાઈ ।
તુમ મમ પ્રિય ભરતહિ સમ ભાઈ ॥
સહસ્ર બદન તુમ્હારો જસ ગાવૈં ।
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈં ॥
સનકાદિક બ્રહ્માદિ મુનિસા ।
નારદ સારદ સહિત અહીસા ॥
જમ કુબેર દિક્પાલ જહાં તે ।
કવિ કોવિદ કહિ સકે કહાં તે ॥
તુમ ઉપકાર સુગ્રીવહિં કીન્હાં ।
રામ મિલાય રાજ પદ દીન્હાં ॥
તુમ્હરો મંત્ર વિભીષણ માના ।
લંકેશ્વર ભયે સબ જગ જાના ॥
જુગ સહસ્ત્ર યોજન પર ભાનુ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનુ ॥
પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહીં |
જલધિ લાંધી ગયે અચરજ નાહીં ||
દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ||
રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ||
સબ સુખ લહૈ તુમ્હારી સરના |
તુમ રક્ષક કાહુ કો ડરના ||
આપન તેજ સમ્હારૌ આપે |
તીનો લોક હાંક તે કાંપે ||
ભુત પિશાચ નિકટ નહિં આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ||
નાસે રોગ હરે સબ પીરા |
જપત નિરંતર હનુમંત બિરા ||
સંકટ સે હનુમાન છુડાવૈ |
મન કર્મ બચન ધ્યાન જો લાવૈ ||
સબ પર રામ તપસ્વી રાજા |
તિન કે કાજ સકલ તુમ સાજા ||
ઔર મનોરથ જો કોઈ લાવે |
સોઈ અમિત જીવન ફલ પાવે ||
ચારો જુગ પરતાપ તુમ્હારા |
હૈ પ્રસિધ્ધ જગત ઉજીયારા ||
સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ||
અષ્ટ સિધ્ધિ નૌ નિધિ કે દાતા |
અસ બર દીન જાનકી માતા ||
રામ રસાયન તુમ્હરે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ||
તુમ્હરે ભજન રામકો પાવે |
જનમ જનમ કે દુઃખ બિસરાવૈ ||
અન્ત કાલ રઘુબર પુર જાઈ |
જહાં જન્મ હરી ભકત કહાઈ ||
ઔર દેવતા ચિત ન ધરઈ |
હનુમંત સેઈ સર્વ સુખ કરઈ ||
સંકટ કટે મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમંત બલવીરા ||
જય, જય, જય, હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુ દેવકી નાઈ ||
જો સતબાર પાઠ કર કોઈ |
છુટહિ બન્દિ મહા સુખ હોઈ ||
જો યહ પઢૈ હનુમાન ચાલીસા |
હોય સિધ્ધિ સાખી ગૌરીસા ||
તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજે નાથ હદય મહં ડેરા ||
પવન તનય સંકટ હરન
મંગલ મૂરતિ રુપ |
રામલખનસીતા સહિત
હૃદય બસહુ સુરભૂપ ||
|| સિયાવર રામચંદ્ર કી જય ||
|| પવનસૂત હનુમાન કી જય ||
*અષ્ટસિધધીનવનીધી_કે_દાતા_વીર_બજરંગબલી*
🚩🚩🚩🚩🚩🚩🚩
હનુમાનજી અષ્ટ સિદ્ધિ નવ નિધિના દાતા કહેવાય છે માતા જાનકીએ તેમને આ વરદાન આપ્યુ છે. કળીયુગમાં હનુમાનજીને તાત્કાલીક દેવ માનવામાં આવે છે.
હનુમાનજી પાસે રહેલી છે અષ્ટ સિદ્ધિઓ
અષ્ટ સિદ્ધિ નૌ નિધિ કે દાતા અસ બર દીન જાનકી માતા’. જાનકી માતાએ એવું વરદાન આપ્યું કે, તમને અષ્ટ સિદ્ધિ અને નવ નિધિ મળે. સિદ્ધિઓ આઠ હોય છે.અણિમા, મહિમા, ગરિમા, લધિમા, પ્રાપ્તિ, પ્રાકામ્ય, ઇશત્વ અને વશિત્વ.
*અણિમા*
હનુમાનજીએ આ સિદ્ધિનો પ્રયોગ કરીને સૂક્ષ્મ રૂપ ધારણ કર્યુ હતુ અને સુરસાના મુખમાં પ્રવેશ કર્યો હતો.
*મહિમા*
આ સિદ્ધિમાં યોગી પોતાની જાતને ખુબજ વિરાટ બનાવી શકે છે. આ કરાણે હનુમાનજી વિરાટ સ્વરૂપ ધારણ કરી શક્યા હતા.
*ગરિમા*
આ સિદ્ધિથી સાધક પોતાની જાતને ભારે ભરખમ બનાવી દે છે.
*લધિમા*
આ સિદ્ધિથી સાધક પોતાની જાતને ફુલ સમાન હળવુ બનાવી શકે છે
*પ્રાપ્તિ*
પ્રત્યેક કામનાને પૂર્ણ કરવા આ સિદ્ધિનું હોવુ આવશ્યક છે
*પ્રાકામ્ય*
આ સિદ્ધિથી ઈચ્છા અનુસાર તમે પૃથ્વીમાં સમાઈ શકો છો આકાશમાં ઉડી શકો છો. હનુમાનજી આકાશમાં ઉડીને એક વાર સૂર્યને ગળી ગયા હતા અને બીજી વખત સંજીવની લાવીને લક્ષ્મણજીનો જીવ બચાવ્યો હતો.
*ઇશત્વ*
તમામ પર શાસન કરી શકો છો આ જ કારણે કળીયુગમાં હનુમાનજીના ભક્તોની સંખ્યા વધારે છે.
*વશિત્વ*
કોઈ પણને પોતાના વશમાં કરહનાર આ વશિત્વ સિદ્ધિ હનુમાનજીને આધીન હતી.
હનુમાનજી પાસે રહેલી છે નવ નિધિ
ગોસ્વામીજી કહે છે કે, આ આઠ તો સિદ્ધઓ આપણી પાસે છે જ અને કુબેરની જે નવ નિધિ છે તે પણ આપણી પાસે છે. પદમ, મહાપદમ, શંકર, મકર, કચ્છપ, મુકુંદ, કુંદ, નીલ અને ખર્વ આ બધી નવ નિધિ છે. નવ નિધિનો એક અધ્યાત્મિક અર્થ પણ છે.શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવનમ, અર્ચન, વંદનમ, દાસ્યમ, સખ્યમ, આત્મ નિવેદન- આ નવ ભક્તિ જ સાધકની નવ નિધિ છે. આ આઠ સિદ્ધિ અને નવ નિધિ હનુમાનજીને સીતાજીએ પ્રદાન કરી છે.જય મહાવીર હનુમાનજી..
*
🚩🚩🚩🚩🚩🚩🚩
( આયુર્વેદ )
*ડાયાબિટીસના સરળ ઘરગથ્થુ ઉપચારો*
ડાયાબીટીસ વધારે પડતો ચરબીવાળો ખોરાક અને બેઠાડુ જીવન ડાયાબિટીસને નિમંત્રણ આપે છે તેના સરળ ઘરગથ્થુ ઉપચાર આ પ્રમાણે છે.
🥣 દરરોજ ૭૦-૮૦ ગ્રામ સારાં પાકાં જાંબુ લઈ ચારગણા ઉકળતા પાણીમાં નાખી ૧૫ મિનિટ સુધી ઢાંકણ ઢાંકી રાખી, પછી હાથ વડે મસળી, કપડાથી ગાળી, તેના ત્રણ ભાગ કરી દિવસમાં ત્રણ વાર થોડા દિવસ સુધી પીવાથી પેશાબમાં જતી સાકરનું પ્રમાણ ઘટે છે, લીવર કાર્યક્ષમ બને છે અને મધુપ્રમેહમાં ઉત્તમ ફાયદો થાય છે.
🥣 સારાં પાકાં જાંબુ સૂકવી, બારીક ખાંડી, ચણ કરી દરરોજ ૨૦-૨૦ ગ્રામ ૧૫ દિવસ સુધી લેવાથી મધુપ્રમેહમાં ફાયદો થાય છે.
🥣 જાંબુના ઠળિયાના ગર્ભનું ૧-૧ ગ્રામ ચૂર્ણ મધ અથવા પાણી સાથે દિવસમાં બે વાર ૧૦-૧૫ દિવસ સુધી લેવાથી મધુપ્રમેહ મટે છે.
🥣 જાંબુના ઠળિયા ૨૦૦ ગ્રામ, લીમડાની ગળો પ૦ ગ્રામ, હળદર પ૦ ગ્રામ અને મરી પ૦ ગ્રામ ખાંડી, વસ્ત્રગાળ ચણ કરી, તેને જાંબુના રસમાં ખૂબ ઘૂંટી, સૂકવી, શીશામાં ભરી રાખવું. ૩-૪ ગ્રામ આ ચૂર્ણ સવાર-સાંજ પાણી સાથે લાંબા સમય સુધી લેવાથી મધુપ્રમેહમાં ચોક્કસ ફાયદો થાય છે.
🥣 કુમળાં કારેલાંના કકડા કરી, છાંયે સૂકવી, બારીક ખાંડી ૧૦-૧૦ ગ્રામ સવારસાંજ ચાર મહિના સુધી લેવાથી પેશાબ માર્ગે જતી સાકર સદંતર બંધ થાય છે અને મધુપ્રમેહ મટે છે.
🥣 કોળાનો રસ ડાયાબીટીસમાં લાભ કરે છે.
🥣 રોજ રાત્રે ૧૫ થી ૨૦ ગ્રામ મેથી પાણીમાં પલાળી રાખી, સવારે ખૂબ મસળી, ગાળી એકાદ માસ સુધી પીવાથી ડાયાબીટીસના રોગીની લોહીમાં જતી સાકર ઓછી થાય છે.
🥣 હરડે, બહેડાં, આમળાં, લીમડાની અંતરછાલ, મામેજવો અને જાંબુના ઠળિયા સરખે ભાગે લઈ, ચર્ણ કરી સવાર-સાંજ લેવાથી મધુપ્રમેહ મટે છે.
🥣 ડાયાબિટીસમાં જવની રોટલી હિતાવહ છે. એનાથી લોહીમાં સાકરનું પ્રમાણ વધતું નથી. વળી એમાં સિંગ અને સિંગતેલ બંને જો અન્ય પ્રકારે હાનિકારક ન હોય તો દરરોજ એકાદ મુઠ્ઠી કાચી સિંગ ખાવી અને આહારમાં કાચું સિંગતેલ વાપરવું.
🥣 મીઠો લીમડો લોહીમાં ખાંડના પ્રમાણને નિયંત્રીત રાખવામાં મદદરૂપ થાય છે. આથી ડાયબીટીસના દર્દીઓને એના સેવનથી લાભ થાય છે.
🥣 ઊંડા અને ખૂબ જ શ્રમ પહોંચાડે તેવા શ્વાસોચ્છાસ મધુપ્રમેહની અમોઘ ઔષધિ છે. ઊંડા શ્વાસોચ્છાસથી લોહીમાંની સાકર ફેફસાં દ્વારા બહાર નીકળી જાય છે.
🥣 હળદરના ગાંઠિયાને પીસી ધીમાં શેકી, સાકર મેળવી થોડા દિવસ સુધી દરરોજ ખાવાથી મધુપ્રમેહ અને બીજા પ્રમેહોમાં ફાયદો થાય છે.
🥣 વડની છાલનું બારીક ચૂર્ણ ૧ ચમચી રાત્રે પાણીમાં પલાળી રાખવું. સવારે તેને ગાળીને પી જવું. તેનાથી પેશાબ અને લોહીની ખાંડ ઓછી થાય છે. પેશાબમાં વીર્ય જતું હોય, પેશાબ કર્યા પછી ચીકણો પદાર્થ નીકળતો હોય તેને માટે વડની કૂણી કુંપળો અને વડવાઈનો અગ્ર ભાગ સૂકવી ચૂર્ણ બનાવી સેવન કરવાથી જરૂર લાભ થાય છે.
🥣 આમલીના કચૂકા શેકી પ૦ ગ્રામ જેટલા રોજ ખાવાથી મધુપ્રમેહ મટે છે.
🥣 વડની તાજી છાલનો ચતુર્થાશ ઉકાળો અથવા તાજી ન હોય તો સૂકી છાલ ૨૪ કલાક ભીંજવી રાખી તે જ પાણીમાં બનાવેલો ચતુર્થાશ ઉકાળો પીવાથી તે કુદરતી ઈન્સલ્યુલીન જેવું જ કામ આપે છે અને ડાયાબિટીસને કાબુમાં રાખે છે.
🥣 આમળાં અને વરિયાળીનો સમભાગે પાઉડર દરરોજ સવારસાંજ ૧-૧ મોટો ચમચો પાણી સાથે ફાકવાથી ડાયાબિટીસ મટે છે.
🥣 આંબાનાં સૂકાં પાનનો એક એક ચમચી પાઉડર સવાર-સાંજ પાણી સાથે લેવાથી મધુપ્રમેહમાં સારો લાભ થાય છે.
🥣 સ્વાદહીન સફેદ રંગનું ગળોસતત્વ ૧-૧ ચમચી દિવસમાં ચારેક વખત પાણી સાથે લેવાથી મધુપ્રમેહ મટે છે.
🥣 આાંબાનાં કોમળ પાન સૂકવી, ચણ બનાવી ભોજન બાદ ૧-૧ ચમચી પાણી સાથે લેવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે.
🥣 સીતાફળના પાનના ઉકાળાનું નિયમિત સેવન કરવાથી ડાયાબીટિસ મટે છે.
🥣 ખોરાકમાં કેલ્શિયમનું પ્રમાણ ૮૦૦થી ૧૨૦૦ મિલિગ્રામ રાખવાથી અને વહેલી સવારે કૂણા તડકામાં ૨૦થી ૨૫ મિનિટ ફરવાનું રાખવાથી ડાયાબિટીસ ફક્ત બે માસમાં કાબૂમાં લાવી શકાય છે.
🥣 ટાઈપ-ર ડાયાબીટીસમાં ઓમેગા-3 ફેટ્સ હૃદયની સુરક્ષા માટે જરૂરી હોય છે. ઓમેગા-3 ફેટ્સ મેળવવાનો સૌથી સરળ ઉપાય છે અખરોટ. ઓમેગા-3 મકરેલ અને ટયુના માછલીમાં પણ હોય છે, પરંતું શકાહારી માટે અખરોટ આશીર્વાદરૂપ છે.
🥣 શુદ્ધ કેસરના ચાર-પાંચ તાંતણા એકાદ ચમચી ધીમાં બારાબર મસળી સવાર-સાંજ સેવન કરવાથી મધુપ્રમેહ કાબૂમાં રહે છે.
*ઉપર જણાવેલ તથા આયુર્વેદમાં બતાવેલ ડાયાબિટીસ માટેના ૧૭ જેટલા ઔષધોથી અમારા દ્વારા ડાયાબિટીસ માટેનું ચૂર્ણ બનાવેલ છે. જેની ૧૦૦ ગ્રામની કિંમત 230 છે. પરંતુ ફક્ત આપણા આયુર્વેદિક જીવનશૈલીના સભ્યો માટે આની કિંમત ૨૦૦₹ છે.*
*દિવાળી ઓફર*
*ડાયાબિટીસ માટેનું 100% નેચરલ અને શુદ્ધ ચૂર્ણ*
આયુર્વેદમાં બતાવેલ કળું, કોલંબો, કાળી જીરી, મામેજવો, કરિયાતું, ગુડમાણ, કરેલા જેવા અન્ય 17 થી વધુ શુદ્ધ ઔષધિઓથી ડાયાબિટીસ માટે બનાવવામાં આવ્યું છે *ડાયાબિટીસ ચૂર્ણ.* જેના નિત્ય સેવનથી ધીમે ધીમે ડાયાબિટીસ કન્ટ્રોલમાં આવી જશે. ત્યારબાદ ધીમે ધીમે મટશે.
એલોપથીની દરોજ ટિકડીઓ ખાવાથી શરીરમાં સાઈડઇફેક્ટ થાય જ છે તે સૌ જાણે છે, પરંતુ આયુર્વેદિક ઔષધિથી નુકસાનના બદલે હંમેશા લાભ જ થાય છે. માટે એલોપથી છોડી આયુર્વેદ અપનાવીએ...
આ ચૂર્ણ આયુર્વેદમાં બતાવેલ 17 થી વધુ 100% શુદ્ધ ઔષધિઓ દ્વારા શાસ્ત્રોક્ત વિધિથી 100% નેચરલ બનાવવામાં આવ્યું છે.
આ ચૂર્ણ સેવન કરવાની રીત:
1)આ ચૂર્ણ કાચની બોટલમાં ભરી લેવું.
2) લાલ માટીની કુલડી(મટકી)મા અથવા માટીના પાત્રમાં દરરોજ રાત્રે એક ચા ની ચમચીના માપ થી દવા નાખી,
એક થી દોઢ કપ પાણી નાખી હલાવી પલાળવું
3) વહેલી સવારે નરણે કોઠે એ પી જવું.
4) આ પછી ચાર-પાંચ કાળી દ્રાક્ષ ખાવી
5) આખા દિવસમાં બે થી ત્રણ લીટર સાદું પાણી પીવું
સુચના:-
*આ ફાકી દરરોજ નિયમિતતાથી સેવન કરશો, તો*
ડાયાબિટીસ ( મધુપ્રમેહ) ના રોગ મટવામા જરૂરથી ફાયદો થશે.
આ ફાકી લેવાની શરૂઆત કરતા પહેલા
યુરીન અને બ્લડ ટેસ્ટ (સુગર ટેસ્ટ) કરાવવા જેથી
ઉપરોક્ત ક્વાથ એક માસ લેવાથી કેટલો સુધારો
( ફાયદો ) થયો તે જાણી શકાશે
આ ફાકી ની પ્રસાદી સંત પુરૂષોની આપેલી છે
..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો