आज की मैच 👈👈🥳🌟🎉🎊
રવિવાર, 28 મે, 2023
શુક્રવાર, 26 મે, 2023
મંગળવાર, 23 મે, 2023
ધોરણ 12 પરિણામ
Whatsapp આપના ક્રમાંક નંબર નાખો 👈👈👈લિંક
👇👇👇👇👇👇લિંક છે
*🔥ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ આવતીકાલે થશે જાહેર ..*
*આવતીકાલે સવારે 9:00 વાગે બોર્ડની વેબસાઈટ ઉપર બંને પરિણામ થશે ઉપલબ્ધ.🔥*
*ગુજરાત શિક્ષણ વિભાગની અનોખી પહેલ* ગુજરાતના *માનનીય શિક્ષણમંત્રીશ્રી ડો. કુબેરભાઇ ડિંડોર* માર્ગદર્શનમાં તૈયાર કરેલ વોટ્સએપ ચેટબોટ પર ઘોરણ-૧૨ નું પરીણામ *સવારે ૮ઃ૦૦ વાગ્યે* મેળવી શકાશે.
*૧. ઉપરના ફોટો માં આપેલ લિંક પર ક્લિક કરો અને ‘Hi’ સેન્ડ કરો.*
*૨. આપનો બોર્ડ- પરીક્ષાનો બેઠક ક્રમાંક લખી સેન્ડ કરો. *
-પરીણામનો મેસેજ વોટ્સએપ પર આવી જશે.
અથવા અહી ની વેબ સાઈટ ઉપર ટચ કરો 👈👈🌟🌟
શુક્રવાર, 19 મે, 2023
2,000 રૂપિયાની નોટ, એક નોટ છાપવાનો કેટલો આવે ખર્ચ?
2000 ની અને અન્ય નોટ વિશે 👈🌟🌟🌟અહી ટચ કરો.
2000 જમાં કરાવવા બાબત ગભરાશો નહીં, તમારી પાસે રૂ.2000ની નોટ હોય તો આટલું કરવાનું રહેશે 👈🌟આ લિંક છે 🌟🌟🌟
તમને સમજાવીશ કે શું કરવું.
ચાલો ઉપરના અક્ષરો ને ટચ કરો.
અને આરામ થી સમજો....
સ્વાદિષ્ટ અથાણાં રેસિપી
લીંબુ એ દુનિયાના લગભગ દરેક ભાગમાં મળી આવતું એક અતિ સામાન્ય ફળ છે. તે સાઇટ્રિક ઍસિડ થી ભરેલું હોવાથી સ્વાદમાં ખાટું હોય છે. દુનિયાભરમાં વિવિધ વાનગીઓમાં ખટાશ પુરી પાડવા લીંબુનો રસ નાખવામાં આવે છે. આ ઉપરાંત શરબત બનાવવા અને અથાણામાં પણ લીંબુનો બહોળા પ્રમામાં ઉપયોગ થાય છે.
લીંબુનું અથાણું :
સામગ્રી :એક કિલો પાકા પીળા થયેલા લીંબુ, ર૦૦ ગ્રામ મીઠું, બે ચમચા દળેલું મરચું, અડધી ચમચી હીંગ, ૧૦૦ ગ્રામ ખાંડ અને બે ચમચા હળદર.
રીત સ્લીંબુને ચોખ્ખા પાણીમાં ધોઈ સ્વચ્છ કપડાથી કોરા કરવા, એક લીબુંમાંથી આઠ કટકા કરવા. આ કટકાના ઉપર જણાવ્યા મુજબનો મસાલો નાખી હલાવીને બરણીમાં ભરી, બરણીને યોગ્ય જગ્યાએ મુકવી. છ સાત દિવસમાં અથાઈને અથાણું ખાવા લાયક બનશે. તેની છાલની કડવાશ દૂર કરવા માટે ખાંડ વાપરવામાં આવે છે. જો ફકત હળદર નાખીને લીંબુનું અથાણું તૈયાર કરેલું હોય તો માંદા માણસોને પણ આ અથાણું આપી શકાય છે.
લીંબુના છોડાનું અથાણું :
સામગ્રી :લીંબુના છોડા એક કિલો, મીઠું ર૦૦ ગ્રામ, ખાંડ ર૦૦ ગ્રામ, તેલ ર૦૦ ગ્રામ, આદું ૧૦૦ ગ્રામ, લાલ મરચાનો ભુકો ૧૦૦ ગ્રામ, લસણ ૧૦ ગ્રામ, વિનેગર પ મિલિગ્રામ.
રીત : સારા રસદાર પીળા લીંબુનો રસ કાઢી લીધા પછી છોડાને ર૦ ટકા મીઠા દ્રાવણમાં પોચા થાય ત્યાં સુધી (૧પ દિવસ) રાખો. લીંબુના છોડા મુલાયમ થઈ જાય ત્યારે મીઠાના દ્રાવણમાંથી કાઢી, સ્વચ્છ પાણીથી ધોઈ અને ઝીણા ટૂકડા કરો બધો મસાલો તેલમાં નાખી છોડા સાથે મીક્ષ કરો. વિનેગર (ફરજિયાત નથી ) વિનેગર થી અથાણું જલદી નથી બગળતું માટે તેને નાખી સારી રીતે ભેળવી જીવાણું (૧ કલાક તડકા માં રાખી ) રહિત કરેલ બરણીમાં ભરી, હવા ચુસ્ત બંધ કરો.
કેરી ભારત દેશનું રાષ્ટ્રીય ફળ છે. આ ફળ ભારતના દરેક રાજ્યોમાં જોવા મળે છે. આ ફળ આંબાના ઝાડ પર થાય છે. આ ફળ કાચું હોય ત્યારે સ્વાદમાં ખાટું લાગે છે, જ્યારે બરાબર પાકી જાય ત્યારે મધુર લાગે છે. આ ફળ ચૂસીને, કાપીને અથવા તેનો રસ કાઢીને ખાઈ શકાય છે.
કેરીનો છુંદો :
સામગ્રી :કેરી છીણ ૪ કિલો, ખાંડ પ કિલો, જીરૂ ૧૦૦ ગ્રામ, તજ, લવીંગ ૧૦ ગ્રામ, મરી પ ગ્રામ, લાલ મરચું ૧૦૦ ગ્રામ, મીઠું પ૦ ગ્રામ, એસિટીક એસિડ રપ મિ.લિ.
રીત :કાચી કેરીને ધોઈ સાફ કરવી. ત્યારબાદ છાલ ઉતારવી અને છીણી વડે છીણો. છીણમાં ઉપર જણાવ્યા મુજબની ખાંડ ભેળવી તપેલીમાં આ જથ્થો ભરતી વખતે તપેલીનાં માપથી અડધાથી ઓછું ભરવું. તપેલાની ઉપર કપડું બાંધી એક અઠવાડિયા સુધી દરરોજ હલાવીને સુર્યનાં તડકામાં મુકવું. ચાસણી બરાબર ઘટ થઈ જશે. જીરૂ, તજ, લવીંગ, મરી, મરચુનો બારીક ભૂકો કરી ઉમેરવું, મીઠું અને એસિટીક એસિડ મિકસ કરી સ્વચ્છ જીવાણું રહિત બરણીમાં ભરી લેવું ૧પ દિવસ બાદ ઉપયોગ કરો.....
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
ચણા–કેરી–લસણ–મેથીનું અથાણું :
સામગ્રી :કેરીના ટૂકડા ૧ કિલો, ચણા રપ૦ ગ્રામ, સુકુ લસણ રપ૦ ગ્રામ, મેથી દાણા રપ૦ ગ્રામ, અથાણાનો મસાલો રપ૦ ગ્રામ, મીઠું ર૦૦ ગ્રામ, એસિટીક એસિડ ૧૦ મીલી.
અથાણાનો મસાલો :રાઈ કુરિયા ૧૦૦ ગ્રામ, લાલ મરચુ પ૦ ગ્રામ, હીંગ ૧૦ ગ્રામ, હળદર ૧૦ ગ્રામ, ધાણા પ૦ ગ્રામ, વરીયાળી પાવડર પ૦ ગ્રામ.
રીત :સારી જાતની કાચી કેરી પસંદ કરવી. ત્યારબાદ કેરીને ધોઈ છાલ ઉતારવી ત્યારબાદ શકય હોય તેટલા નાના ટુકડા કરવા તેમાં ૧પ૦ ગ્રામ મીઠું ઉમેરવું ચણા, મેથી, ધાણા અને લસણનાં ટૂકડાને કેરીના ખારા ખાટા પાણીમાં ર થી ૩ દિવસ સુધી ડૂબાડી રાખવા. ત્યારબાદ દરેક ટૂકડામાંથી પાણી કાઢી નાંખવું અને બધાજ ટૂકડા મિશ્ર કરવા તેમાં અથાણાનો મસાલો, તેલ અને એસિટીક એસિડ ઉમેરી સ્વચ્છ બરણીમાં ભરી દેવું ૧પ દિવસ બાદ ઉપયોગમાં લેવું.
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭🥭
કેરી ગુંદા નું અથાણું ફકત
૧૭૦*₹ કિલ્લો
કેરી ગુંદાનું અથાણું :
સામગ્રીઃકેરી ૧ કિલો, ગુંદા ૩ કિલો, એસિટીક એસિડ ર૦ મીલી, મીઠું ૪૦૦ ગ્રામ, તેલ ૧ કિલો, રાઈ કુરિયા ૧૦૦ ગ્રામ, મેથી કુરિયા ર૦૦ ગ્રામ, લાલ મરચું ૧પ૦ ગ્રામ, હળદર ર૦ ગ્રામ, હીંગ ર૦ ગ્રામ, વરીયાળી પ૦ ગ્રામ, ધાણા પ૦ ગ્રામ, મરી ૧૦ ગ્રામ.
રીત :રેસા વગરની માવાદાર કેરી પસંદ કરો સ્વચ્છ પાણીથી ધોઈ ઉપરની છાલ ઉતારી નાખો ત્યારબાદ છીણી કાઢો. છીણીમાં તેલ સિવાયનો તમામ મસાલો બરાબર ભેળવી દો.
ગુંદાને સાફ કરી બીજ કાઢીલો. ત્યારબાદ બીજની ખાલી પડેલ જગ્યામાં છીણવાળો, મસાલો શકય તેટલો દબાવીને ભરી દેવો. છેલ્લે મસાલો ડૂબે તેટલું તેલ ઉમેરવું અને સ્વચ્છ બરણીમાં ભરી દેવું ૧પ દિવસ બાદ ઉપયોગમાં લેવું.
કેર નું અથાણું ફકત ૫૦ ₹
૨૫૦ ગ્રામ સ્વાદિષ્ટ અથાણાં ૯૨૨૮૪૩૫૭૬૪ માં હાજર સ્ટોક માં
કેરાં (કેરડાં) નું અથાણું :
સામગ્રી :કેરાં ૧ કિલો, મીઠું (પ્રથમ ૧૦ દિવસ) ર૦૦ગ્રામ, મીઠું (બીજા ૧૦ દિવસ) ર૦૦ ગ્રામ, મીઠું ( ત્રીજા ૧૦ દિવસ) ર૦૦ ગ્રામ, રાઈના કુરિયા ૧૦૦ ગ્રામ, કેરીનો આમળીયા પાવડર ૧૦ ગ્રામ, તેલ ર૦૦ ગ્રામ, હીંગ ૧૦ ગ્રામ, એસિટીક એસિડ ૧૦ ગ્રામ.
રીત :મધ્યમ કદનાં કેર પસંદ કરો તેના ડીટાં કાઢી ચોખ્ખા પાણીથી ધોઈ એક કિલોગ્રામ કેર હોય તો એક લીટર પાણીમાં ર૦૦ ગ્રામ મીઠું ઓગાળી (૧પ ટકા પ્રમાણે) ને ૧૦ દિવસ સુધી મીઠાના દ્રાવણમાં કેરને ડુબાડી રાખો દસ દિવસે મીઠાનું પાણી કાઢી નાખીને બદલી દર દસ દિવસે ઉપર મુજબ મીઠાનું પાણી કાઢી નાખીને દ્રાવણ બદલવું એક મહિનો મીઠાનાં દ્રાવણમાં ડુબાડી રાખ્યા બાદ એક દિવસ સાદા પાણીમાં ડુબાડી રાખવા જેથી મીઠાની અસર દૂર થાય. મીઠાનું પ્રમાણ ઘટે ત્યાર બાદ ચોખ્ખા પાણીથી ધોઈ કોરા પાડી ઉપર મુજબનો મસાલો ભેળવી મૂકી રાખો ૧પ દિવસ પછી ઉપયોગમાં લેવું.
ખાટું મિક્ષ ફકત ૧૦૦*₹ કિલ્લો
લીંબુ મરચાનું અથાણું :
સામગ્રી :વઢવાણી લીલાં મરચા સૂકા અને કડક ૧ કિલો, પાકા લીંબુ રપ૦ ગ્રામ, રાઈના કુરિયા પ૦ ગ્રામ, હળદર પ્રમાણસર, એસિટિક એસિડ ૧૦ મી.લી., મીઠું ૧૦૦ ગ્રામ, મેથીના કુરિયા પ૦ ગ્રામ, સરસીયું તેલ રપ૦ ગ્રામ.
રીત :અથાણાં માટે લીલા કડક મરચા પસંદ કરો. મરચાને સ્વચ્છ પાણીથી ધોઈ કોરા કરી ઉભી ચીરીઓ પાડો. રાઈના કુરિયા, મેથીના કુરિયા ૧૦૦ ગ્રામ, પ્રમાણસર મીઠું હળદર મીકસ કરો. મરચાની ચીરીયોમાં ભરો લીબું આડા કાપી કુલ આઠ ટૂકડા કરી વધારે મસાલામાં રગદોળી દો. એક સ્ટીલના તપેલામાં હળદર મરચાના થર ગોઠવી તેના પર અડધા લીબુંના થર ગોઠવી ત્યારબાદ બાકીના મરચાનો થર ગોઠવી બાકીના ઉપર લીબું ના થર ગોઠવી ચાર દિવસ મરચાને મૂકી રાખો અને દરરોજ ઉછાળતા રહેવું. ચોથા દિવસે લીંબુ મરચાને બહાર કાઢી છાંયડામાં ત્રણ કલાક કોરા થવા દો. એક બરણીમાં મરચા લીંબુના ટૂકડા ભરી તેલ ગરમ કરી તેલ ઠંડુ પડવા દઈ અથાણામાં મીકસ કરી, તેમાં એસિટિક એસિડ મીકસ કરી દો. અઠવાડિયા બાદ જરૂર મુજબ ઉપયોગ કરો.
🌱🌱🌱🌱🎋🎋🎋🌱🌱🌱🌱
વાંસનું અથાણું :
સામગ્રી :કુમળા વાંસની ફુટ એક કિલો, મીઠું ર૦૦ ગ્રામ, એક ચમચો હળદર, ૧૦૦ ગ્રામ મરચું, ૧૦૦ ગ્રામ રાઈના કુરિયા, ૧૦૦ ગ્રામ ધાણાના કુરિયા, ચમચી હીંગ, રપ૦ ગ્રામ ખાંડ, પાંચ લીંબુ
રીત :વાંસના નાના ટૂકડા કરી તેને હળદર, મીઠા અને કેરીના પાણીમાં અથવા લીંબુના રસમાં એક અઠવાડિયુ રાખવા. પછી બહાર કાઢી સૂકવવા સંભાર તૈયાર કરી તેમાં ખાંડ અને લીંબુ નાખી પછી વાંસના ટૂકડા ભેળવી બરણીમાં ભરવું. અઠવાડિયા પછી ઉપયોગ કરવો.
આંબળાનું અથાણું :
સામગ્રીઃ એક કિલો મોટા આંબળા, પ૦૦ ગ્રામ ખાંડ, ર૦૦ ગ્રામ મીઠું, રપ૦ ગ્રામ લીંબુ, ર૦૦ ગ્રામ તેલ, બે ચમચા દળેલું લાલ મરચું, એક ચમચી હળદર, અડધી ચમચી હીંગ, એક ચમચો રાઈના કુરિયા, એક ચમચો ઘાણાના કુરિયા, એક કપ વિનેગર.
રીત :આંબળાને ધોઈ, થોડા પાણીમાં બાફવા મુકવા. જો બાફવા ન હોય તો ત્રણ દિવસ હળદર મીઠાના દ્રાવણમાં રાખવા, પીળાશ આવી જાય એટલે સુકવી કોરાં કરવા. તેલ ગરમ કરી સંભાર બનાવી ઠંડો પડે એટલે આંબળા નાખવા. ખાંડની ચાસણી લઈ તેમાં ઉપરોકત આંબળાનો સંભાર ભેળવી બરણીમાં ભરવા. આમા લીંબુ નાખવા હોય તો પણ નાખી શકાય છે. બે–ચાર દિવસમાં ખાવા લાયક અથાણું તૈયાર થઈ શકે.
તેલ વગરનું કેરીનું ખાટું અથાણું :
સામગ્રી :એક કિલો કેરી, ર૦૦ ગ્રામ મીઠું, ર ચમચી હળદર, ૧પ૦ ગ્રામ દળેલું મરચું, અડધી ચમચી હીંગ, ૧૦૦ ગ્રામ રાઈના કુરિયા.
રીત :કેરીને સ્વચ્છ પાણી ધોઈ, ટુકડા કરી તેમાં મીઠું અને હળદર નાખી હલાવી બે દિવસ બરણીમાં રાખવા. ત્રીજા દિવસે ટૂકડા બરણીમાંથી રસ સાથે બહાર કાઢી બીજા બધા મસાલા નાખી બરાબર હલાવીને બરણીમાં ભરવા. મીઠાનું યોગ્ય પ્રમાણ જળવાય રહે તે ખાસ જોવું.
જીરા કેરી :
સામગ્રી :રપ નંગ કેરી, રપ૦ ગ્રામ મીઠું, ૧૦૦ ગ્રામ મરચાનો ભૂકો, ૧૦૦ ગ્રામ જીરૂ, એક ચમચી હીંગ, પ્રમાણસર હળદર, પ૦૦ ગ્રામ તેલ.
રીતઃકેરીને સંભારીયાને જેમ કાપી એની અંદર મીઠું અને હળદર લગાવી બરણીમાં ભરી ત્રીજે દિવસે કાઢવી. બે કલાક છાંયામાં રાખવી એક થાળીમાં મરચું, આખું પાખું શેકેલ જીરૂ અને હીંગ ભેગા કરી તેમાં ચમચો ખાટું પાણી નાખવું. આ મસાલો કેરીમાં ભરવો. આ કેરીને બરણીમાં ભરીને ઉપર તેલ રેડવું.
શાકભાજીનું અથાણું :
સામગ્રી :એક ગાજર, એક બટાકું, એક રીંગણ, ત્રણ લીલા મરચાં, બે લીંબુ, ર થી ૩ ચમચી મીઠું, એક ચમચી હળદર, ચમચી હીંગ.
રીત :ઉપર જણાવેલ શાકને સ્વચ્છ પાણીથી ધોઈ, કોરા કરી નાના ટુકડા કરવા ટૂકડા ઉપર બધો મસાલો નાખી તથા લીંબુ નીચોવી, હલાવી અને બરણીમાં ભરવું, એક બે દિવસમાં અથાણું ખાવા લાયક થઈ શકે. આ શાકનું અથાણું લાંબા સમય સુધી ટકી શકતું નથી, તેથી થોડા પ્રમાણમાં બનાવવું જોઈએ. શાકભાજી આ અથાણાંમાં કાકડી, ફલાવર, લીલા વટાણાં, તુવેર, બીટ વગેરે પણ નાખી શકાય છે.
સામગ્રી :રપ૦ ગ્રામ કારેલા, બે નંગ લીંબુ, એક ચમચો હળદર, એક ચમચી મીઠું, ચપટી હીંગ.
રીત :કારેલાને સ્વચ્છ પાણીથી ધોઈ કોરા કરી તેની છાલ કાઢી પછી તેના નાના ટૂકડા કરવા આ ટુકડામાં મીઠું, હીંગ અને હળદર નાખી લીંબુ નીચોવી, બરાબર હલાવી બરણી ભરવી. બે–ત્રણ દિવસમાં કારેલા લીંબુના રસમાં અથાઈને ખાવા લાયક અથાણું તૈયાર થશે. લીંબુને લીધે કારેલાની કડવાશ દૂર થાય છે.
રીંગણની જેમ જ કારેલાને તળીને પણ મસાલાવાળુ અથાણું ખાંડમાં બનાવી શકાય છે.
રવિવાર, 14 મે, 2023
આધાર રાશન કાર્ડ લિંક 2023: શક્ય તેટલી વહેલી તકે આધાર રાશન કાર્ડ લિંક કરો, નહીં તો તમને મફત રાશન નહીં મળે
સોમવાર, 1 મે, 2023
સન્માન
તેઓ એકમાત્ર એવા વ્યક્તિ છે જેઓને ભારત દેશના સર્વોચ્ચ સમ્માન ભારત રત્ન (૧૯૯૧) તેમ જ પાકિસ્તાન દેશના સર્વોચ્ચ સમ્માન નિશાન-એ-પાકિસ્તાન (૧૯૯૦)થી સન્માનિત કરવામાં આવ્યા હોય.