હિન્દુ ધર્મ સહિત અનેક સંસ્કૃતિઓમાં તે માન્યતા છે કે મરણોપરાંત પણ પૂર્વજો કૃપા દ્રષ્ટિ રાખે છે. સુખ અને સમૃદ્ધિની વૃદ્ધિમાં પિતૃઓનો પણ આશીર્વાદ હોય છે. ધરતી પર મનુષ્યના શુભ-અશુભ કર્મોની અસર પૂર્વજો અને પિતૃઓ પર પડે છે. આપણા સારા કર્મોથી તેઓ પ્રસન્ન થાય છે અને આપણા ખરાબ કર્મોથી તે નારાજ થાય છે. માન્યતા છે કે જ્યારે પૂર્વજ અને પિતૃઓ નારાજ કે ક્રોધિત થાય છે, વ્યક્તિના જીવન અને પરિવારમાં સંકટના વાદળ છવાઇ શકે છે અને પ્રગતિ અટકી જાય છે. પરંતુ તેના માટે પૂર્વજ કેટલાંક સારા સંકેત પણ આપે છે. ચાલો જાણીએ કે તે સંકેત કયા છે.
1 આર્થિક તંગી
ધનના મામલે જે લોકોના હાથ હંમેશા તંગ રહે છે અને આર્થિક તંગી તેમનો પીછો છોડી નથી રહી, તે પૂર્વજોના નારાજ થઇને અડચણો ઉભી કરવાનો સંકેત હોઇ શકે છે.
2 ખરાબ સપના અને હેલ્થ પ્રોબ્લેમ
જો કોઇ વ્યક્તિને વારંવાર પોતાના પરિવારના કોઇ મૃત વ્યક્તિનું સપનું આવે અથવા વારંવાર ખરાબ સપના આવે તો તે પણ પૂર્વજો અને પિતૃઓનો એક સંકેત માનવામાં આવે છે. જે પરિવારમાં લોકો વારંવાર બીમાર રહેતા હોય, સ્વાસ્થ્યની સમસ્યાઓ પીછો ન છોડતી હોય કે રોગી જલ્દી રિકવર ન કરી શકતાં હોય તો તે પણ પૂર્વજો-પિતૃઓની નારાજગીની એક નિશાની હોઇ શકે છે.
3 ભોજનમાંથી વાળ નીકળવા
જો તમારી સાથે અથવા તમારા પરિવારમાં કોઇની સાથે એવું બને કે ભોજનમાંથી વારંવાર વાળ નીકળે, તો તેને અવગણવાની ભૂલ ન કરો. હિન્દુ માન્યતા અનુસાર, તે પૂર્વજોના નારાજ થવાની મહત્ત્વપૂર્ણ નિશાની છે.
4 પારિવારિક ક્લેશ અને અશાંતિ
જે ઘર, પરિવાર કે કુટુંબમાં અવારનવાર ઝઘડા થતા રહે છે, તેમને સાવચેત થઇ જવું જોઇએ, કારણ કે એવું પૂર્વજોના નારાજ થવાથી પણ થઇ શકે છે.
5 નકારાત્મક ઉર્જા કે કોઇ સાથે હોવાનો અહેસાસ
જો તમે ઘરમાં નકારાત્મક ઉર્જા અનુભવતા હોય અથવા તો ઘરમાં કોઇ હોવાનો અહેસાસ થાય છે, તો તે પૂર્વજો દ્વારા મોકલવામાં આવેલા સંકેત હોઇ શકે છે.
6 કામમાં અડચણ અને અસફળતા
જો તમારા કામ તમારા પૂરા પ્રયાસો બાદ પણ અટકી જાય છે, વારંવાર અડચણો આવી રહી છે અને તમે અસફળ થઇ રહ્યાં છો તો તે પણ પૂર્વજોના નારાજ થવાની એક નિશાની હોઇ શકે છે.
7 પિંડદાન ન કરવાને કારણે પૂર્વજો અને પિતૃઓ નારાજ થાય છે. આ માટે, ગયા જાઓ અને તેમનું વિધિવત પિંડ દાન કરો.
હવે એક મારા તરફ થી
તમારા ઘરમાં તમારી માં દુઃખી હોય, મોટો અથવા નાનો ભાઈ કે બહેન ફઈ અને ઘરના પ્રાણીઓ કોઈપણ ભગવાન અથવા પિતૃ ની છબી સામે રોવે તો
ઘરમાં પિતૃ દોષ રહેશે
જેનો ઉપાય તમે છો.
બાકીના દોષ નિવારણ માટે આટલું કરી શકાય
પૂર્વજો અને પિતૃઓને પ્રસન્ન કરવાના ઉપાય
જો પૂર્વજો અને પિતૃઓ નારાજ હોય કે અપ્રસન્ન હોય તો તેમને કેટલાક વિશેષ ઉપાયોથી પ્રસન્ન કરીને જીવનમાં પ્રગતિ અને ઉન્નતિના માર્ગ પર આગળ વધી શકાય છે.
તમારા નારાજ પિતૃઓ અને પૂર્વજોને શાંત કરવા માટે ષોડશ પિંડનું દાન કરીને બ્રાહ્મણને ગાયનું દાન કરી શકો છો.
પિતૃઓના નામે કૂવો, તળાવ વગેરે બનાવો, મંદિર પરિસરમાં પીપળ અને વડના વૃક્ષો વાવો.
પૂર્વજો અને પિતૃઓના ક્રોધને કારણે આવતી પરેશાનીઓમાંથી મુક્તિ મેળવવા માટે હરિવંશ પુરાણનો પાઠ કરો.
અમાવસ્યાના દિવસે તાંબાના વાસણમાં જળ લઈ તેમાં રોલી મૂકી સૂર્યને અર્પણ કરો. અર્ઘ્ય અર્પણ કરતી વખતે 21 વાર ‘ઓમ ઘૃણિ સૂર્યાય નમઃ’ મંત્રનો જાપ કરો.
આ બધી વિગત જ્ઞાની જ્યોતિષ શ્રિયો ની છે મારી નથી આવું કંઈ પણ થતું હોય તો કૃપીયા ઘરના વડીલો ની સલા લેજો....
ચાલો આ પણ વાંચો.
સુરક્ષા વિશે ટિપ
પાણીનો ઉપયોગ સમજદારીપૂર્વક કરો
પ્રતિ કલાક લગભગ 1 કપ અને પ્રતિ દિવસ ઓછામાં ઓછું 2-3 લીટર / 0.5-0.8 ગેલન પાણી પીઓ.
ભેજવાળા કપડાં, સ્પ્રે અથવા ભીના કપડાંની મદદથી તમારી ત્વચાને ભીની રાખો.
પોતાને કૂલ રાખો
જ્યારે 40˚C / 104˚F હેઠળનું તાપમાન હોય, ત્યારે પંખા બૉડીને ઠંડી કરે છે. 40˚C / 104˚F કરતા વધુ તાપમાન પર પંખાઓનો ઉપયોગ કરશો નહીં કારણ કે પંખા બૉડીને ગરમ કરશે
જો તમે ACનો ઉપયોગ કરી રહ્યાં હો, તો થર્મોસ્ટેટને 27˚C / 81˚F પર સેટ કરો અને રૂમનો એક પંખો ચાલુ રાખો. આ રૂમમાં 4˚C / 7˚F વધુ ઠંડકનો અનુભવ કરાવશે.
શેડ શોધો અને યાદ રાખો કે શેડમાં બહાર વધુ ઠંડુ હોઈ શકે છે.
સુરક્ષિત રહો
અત્યંત ગરમી ખતરનાક હોઈ શકે છે. ખૂબ ગરમીના સમયમાં જોશપૂર્ણ પ્રવૃત્તિઓ ટાળો. જો તમને અથવા અન્ય લોકોને બેહોશી, ચક્કર અથવા ઉબકાનો અનુભવ થાય તો તબીબી સહાય મેળવો.
65 વર્ષથી વધુ ઉંમરના લોકો, પાડોશી, પરિવાર અને મિત્રોને ચેક કરતા રહો. ખાસ કરીને હૃદય, ફેફસા અથવા કિડની સંબંધિત સમસ્યા ધરાવતા, અપંગ અને એકલા રહેતા હોય તેવા લોકોને ચેક કરતા રહો
જોઇએ છે.
પ્રાથમિક શિક્ષક પી.ટી.સી., બી.એ., બી.એડ., ગ્રેજયુએટ અંગ્રેજી,ગણિત વિષય ભણાવી શકે. શ્રી સાર્વજનિક વિદ્યામંદિર ૪૩, યમુનાપાર્ક-૨, અંજાર
Mo. 92282 65919
*હું અને મારાં પ્રભુ, બને ભૂલકણા પણ બંનેમાં ફરક એટલો છે*,
*હું રોજ ભૂલો કરું,જે મારાં પ્રભુ ભૂલી જાય*,
*અને મારાં પ્રભુ રોજ ઉપકારો કરે*,
*એ હું રોજ ભૂલી જાઉં*..
ટિપ્પણીઓ
ટિપ્પણી પોસ્ટ કરો