રવિવાર, 30 જાન્યુઆરી, 2022

જાણવાજેવું....


ભારત રત્ન
ભારત રત્ન પુરસ્કાર એ ભારત સરકાર દ્વારા આપવા માં આવતો સૌથી સર્વોચ્ય પુરસ્કાર છે. ભારત રત્ન એ માત્ર ભારતીય નાગરિકો ને જ નહિં પરંતુ દેશ – વિદેશ ના કોઈપણ નાગરિક ને કે જેણે કળા, સાહિત્ય, વિજ્ઞાન, રમતગમત ના ક્ષેત્રો માં તેમજ જાહેર સેવા માં અસાધારણ પ્રદશન અને શ્રેષ્ઠ પ્રદાન કરનાર નાગરિક ને ભારત સરકાર દ્વારા ભારત રત્ન ના પુરસ્કાર થી નવાજવામાં આવે છે.
ભારત રત્ન આપવા માટે વડાપ્રધાનશ્રી દ્વારા માનનીય રાષ્ટ્રપતિ ને નામો ની ભલામણ કરવા માં આવે છે. સામાન્ય નાગરિકો દ્વારા રાષ્ટ્રપતિ ને ભલામણ કરી શકાતી નથી.

1954 ની સાલ માં સર્વપલ્લી રાધાકૃષ્ણન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), સી. રાજગોપાલાચારી (સવાતંત્ર્ય સેનાની) અને સી.વી.રામન (ભૌતિક શાસ્ત્રી) ને મળ્યો હતો.

1955 ની સાલ માં ભગવાનદાસ (સ્વાતંત્ર્ય સેનાની), એમ. વિશ્વેસવરીયા (સિવિલ એન્જી. અને ભાખરા નાંગલ બંધ ના નિર્માતા) અને જવાહરલાલ નહેરુ (પ્રથમ વડાપ્રધાન) ને મળ્યો હતો.

1957 ની સાલ માં એક માત્ર ગોવિંદ વલ્લભ પંત (સ્વાતંત્ર્ય સેનાની અને ઉત્તરપ્રદેશ ના પ્રથમ મુખ્યમંત્રી) ને મળ્યો હતો.

1958 ની સાલ માં એક માત્ર ધોંડો કેશવ કર્વે (શિક્ષણ શાસ્ત્રી અને સમાજસુધારક) ને મળ્યો હતો.

1961 ની સાલ માં ડો.બી.સી.રોય (ડોક્ટર, રાજકારણી) અને પુરૂષોતમદાસ ટંડન (સ્વાતંત્ર્ય સેનાની, શિક્ષણ શાસ્ત્રી) ને મળ્યો હતો.

1962 ની સાલ માં એક માત્ર રાજેન્દ્ર પ્રસાદ (પ્રથમ રાષ્ટ્રપતિ અને સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.

1963 ની સાલ માં ઝાકીર હુસૈન (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, જામીયા મિલિયાના સ્થાપક), ડો. પી.વી.કાણે (સંસ્કૃતના વિદ્વાન) ને મળ્યો હતો.

1966 ની સાલ માં એક માત્ર લાલ બહાદુર શાસ્ત્રી (બીજા વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.

1971 ની સાલ માં એક માત્ર ઇન્દિરા ગાંધી (પ્રથમ મહિલા વડાપ્રધાન) ને મળ્યો હતો.

1975 ની સાલ માં એક માત્ર વી.વી. ગિરી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ) ને મળ્યો હતો.

1976 ની સાલ માં એક માત્ર કે.કામરાજ (સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.

1980 ની સાલ માં એક માત્ર મધર ટેરેસા (શાંતિ નોબલ પ્રાઈઝ) ને મળ્યો હતો.

1983 ની સાલ માં એક માત્ર વિનોબા ભાવે (ભૂદાન ચળવળ ના પ્રણેતા) ને મળ્યો હતો.

1987 ની સાલ માં એક માત્ર અબ્દુલગફાર ખાન (સરહદ ના ગાંધી અને સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.

1988 ની સાલ માં એક માત્ર એમ. જી. રામચંદ્રન (અભિનેતા, તામિલનાડુ ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી) ને મળ્યો હતો.

1990 ની સાલ માં ડો. ભીમરાવ આંબેડકર (બંધારણ સભાના પ્રમુખ) અને નેલ્સન મંડેલા (રંગભેદ વિરોધી ચળવળ ના નેતા) ને મળ્યો હતો.

1991 ની સાલ માં રાજીવ ગાંધી (ભૂતપૂર્વ વડાપ્રધાન), સરદાર વલ્લભભાઈ પટેલ (લોખંડી પુરુષ) અને મોરારજી દેસાઈ (ભૂતપૂર્વ વડાપ્રધાન) ને મળ્યો હતો.

1992 ની સાલ માં અબુલ કલામ આઝાદ (સ્વાતંત્ર્ય સેનાની અને શિક્ષણ શાસ્ત્રી), જે.આર.ડી. તાતા (ઉદ્યોગપતિ) અને સત્યજિત રે (ફિલ્મસર્જક) ને મળ્યો હતો.

1997 ની સાલ માં એ. પી. જે. અબ્દુલ કલામ (વૈજ્ઞાનિક અને ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), ગુલઝારીલાલ નંદા (ભૂતપૂર્વ વડાપ્રધાન અને સ્વાતંત્ર્ય સેનાની) અને અરુણા અસફઅલી (સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.

1998 ની સાલ માં એમ. એસ. સુબ્બાલક્ષ્મી (શાસ્ત્રીય ગાયિકા), સી.એસ.સુબ્રમણ્યમ (સ્વાતંત્ર્ય સેનાની અને હરિયાળી ક્રાંતિ ના પ્રણેતા) અને જયપ્રકાશ નારાયણ (સ્વાતંત્ર્ય સેનાની અને સમાજ સેવક) ને મેયો હતો.

1999 ની સાલ માં પંડિત રવિ શંકર (સિતાર વાદક), અમર્ત્ય સેન (અર્થશાસ્ત્રી નોબેલ વિજેતા) અને ગોપીનાથ બોરદોલોઈ (સ્વાતંત્ર્ય સેનાની) ને મળ્યો હતો.

2001 ની સાલ માં લતા મંગેશકર (પાશ્વ ગાયિકા) અને બિસ્મિલ્લાહ ખાન (શરણાઈ વાદક) ને મળ્યો હતો.

2009 માં એક માત્ર ભીમસેન જોશી (શસ્ત્રીય ગાયક) ને મળ્યો હતો.

2014 ની સાલ માં સી.એન.રાવ (વૈજ્ઞાનિક) અને સચિન તેંડુલકર (ક્રિકેટર) ને મળ્યો હતો.

2015 ની સાલ માં મદન મોહન માલવિયા (શિક્ષણ શાસ્ત્રી અને રાજકારણી) અને અટલ બિહારી વાજપેયી (ભૂતપૂર્વ વડાપ્રધાન) ને મળ્યો હતો.

2019 ની સાલ માં પ્રણવ મુખર્જી (ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ), ભૂપેન હઝારીકા (ગાયક અને સંગીતકાર) અને નાનાજી દેશમુખ (આરઆરએસ વિચારક) ને મળ્યો હતો.

ભારત રત્ન વિજેતા ને મળતી સુવિધાઓ:

1. ભારત રત્ન વિજેતા નાગરિક ને ધન રાશિ પ્રાપ્ત થતી નથી પરંતુ નીચે દર્શાવેલા રાજ્ય ના પૂર્વ કે હાલ ના નેતાઓ ને જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે મુજબ ની સુવિધાઓ પ્રાપ્ત થાય છે.

ભારત ના રાષ્ટ્રપતિ

ભારત ના ઉપરાષ્ટ્રપતિ

ભારત ના વડાપ્રધાન

ભારત ના ચીફ જસ્ટિસ

ભારત ના પૂર્વ રાષ્ટ્રપતિ

ભારત ના પૂર્વ વડાપ્રધાન

અન્ય રાજ્યો ના રાજ્યપાલ

લેફ્ટ. રાજ્યપાલ

કેન્દ્રશાસિત પ્રદેશ ના રાજ્યપાલો

ઉપરોક્ત દર્શાવેલા નેતાઓ કે રાજ્યપાલો ને સરકાર દ્વારા જે સુવિધાઓ પ્રાપ્ત થાય છે તે પ્રકાર ની સુવિધાઓ ભારત રત્ન પુરસ્કાર નાગરિક ને મળે છે
2. રાજદ્વારી પાસપોર્ટ (Diplomatic Passport)
રાજદ્વારી પાસપોર્ટ એ મરૂન કલર નું કવર ધરાવે છે. જે ઉચ્ચ અધિકારીઓ અને Diplomatic Couriers ને મળે છે. આ પાસપોર્ટ ભારત રત્ન વિજેતા ને પણ પ્રાપ્ત થાય છે. આ પાસપોર્ટ ની સુવિધા માં અલગ Immigration Counter (દેશાગમન), VIP સુવિધા વગેરે સુવિધાઓ પ્રાપ્ત થાય છે.
પહેલા એવો નિયમ હતો કે મૃત્યુ પામેલા હોય તેને ભારતરત્ન નહિ મળે પરંતુ 1955 પછી થી મરણોપરાંત પુરસ્કાર આપવા ની પણ ચાલુ કરવા માં આવ્યું હતું.

ભારત રત્ન વિશે અન્ય જાણવા જેવું:

લાલબહાદુર શાસ્ત્રી ને પ્રથમ મરણોપરાંત ભારત રત્ન આપવા માં આવ્યો હતો ત્યારબાદ થી આજ દિન સુધી માં 12 જેટલા મરણોપરાંત પુરસ્કાર આપવા માં આવ્યા છે.

સુભાષચંદ્ર બોઝ ને 1992 માં મરણોપરાંત પુરસ્કાર એનાયત થયો હતો જે ત્યારબાદ પરત લેવા માં આવ્યો હતો.

એક વર્ષ માં વધુ માં વધુ 3 ને આ પુરસ્કાર આપવા માં આવે છે પરંતું એવું જરૂરી નથી કે દર વર્ષે આપવું જ પડે.

1959, 1960, 1967, 1968, 1969, 1970, 1971, 1973, 1974, 1977, 1978, 1979, 1981, 1982, 1984, 1985, 1986, 1989, 1993, 1994, 1995, 1996 આ સાલ દરમ્યાન એક પણ પુરસ્કાર આપવા માં આવ્યો નથી.

સૌથી યુવા વયે પુરસ્કાર પ્રાપ્ત કરનાર સચિન તેંડુલકર છે જેમને 40 વર્ષ ની વયે આ પુરસ્કાર થી નવાજવામાં આવ્યા હતા.

જયારે વધુ ઉંમર ધરાવતા ધોંડો કેશવ કર્વે કે જેમણે 100 વર્ષ ની વયે આ સન્માન પ્રાપ્ત કર્યું હતું.

પુરસ્કાર માત્ર ભારત ના નાગરિકો સિવાય વિદેશ ના નાગરિકો ને પણ પ્રાપ્ત થયું છે.

ભારત ની બહાર જન્મેલા પરંતુ ભારતનું નાગરિકત્વ ધરાવતા મધર ટેરેસા, પાકિસ્તાન ના ખાન અબ્દુલ ગફાર ખાન અને સાઉથ આફ્રિકા ના નેલ્સન મંડેલા ને પ્રાપ્ત થયેલા છે.

ભારત રત્ન મેળવનાર વ્યક્તિ ને ભારત ની શિષ્ટાચાર ની યાદી માં 7 માં ક્રમે સ્થાન મળેલું છે.

ભારતરત્ન બાદ ક્રમશ: પ્રતિષ્ઠિત પુરસ્કારો માં પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી આવે છે.

આ પુરસ્કાર ની સ્થાપના રાજેન્દ્ર પ્રસાદ દ્વારા 2 જાન્યુઆરી 1954 રાષ્ટ્રપતિ રાજેન્દ્ર પ્રસાદ દ્વારા કરવામાં આવી હતી.

આ પુરસ્કાર ને બે વાર સ્થગિત કરવા માં આવ્યા હતા પ્રથમ વાર 1977 માં મોરારજી દેસાઈ ની સરકાર દ્વારા અને બીજી વાર 1992 માં મધ્યપ્રદેશ અને કેરળ રાજ્ય ની વડી અદાલત માં જાહેર હિત ની અરજી દ્વારા પ્રતિબંધ મુકવા માં આવ્યો હતો.

1977 માં મુકવા માં આવેલા પ્રતિબંધ ને જાન્યુઆરી 1980 માં ઉઠાવી લેવા માં આવ્યો હતો જયારે 1992 ના પ્રતિબંધ ને ડિસેમ્બર 1995 માં ઉઠાવી લેવા માં આવ્યો હતો.


આજીવન ઈનકમ ટેક્સ ભરવા નો આવતો હોતો નથી

આજીવન ભારતીય રેલવે માં ફર્સ્ટ ક્લાસ ની મુસાફરી મફત માં મળે છે.

આજીવન એર ઇન્ડિયા ની ફર્સ્ટ ક્લાસ ની મુસાફરી મફત કરવા મળે છે.

સાંસદ ની બેઠક માં અને તેના સત્ર માં ભાગ લેવા ની મંજુરી મળે છે.

જો Z પ્લસ સિક્યુરિટી ની જરૂરત હોય તો તે પણ મળી શકે છે.

VVIP જેટલું માન સન્માન મળે છે.

ભારત માં કોઈ પણ રાજ્ય માં પ્રવાસે જાય તો ત્યાં રાજ્ય સરકાર દ્વારા તેમના રહેઠાણ માટે ની સુવિધા કરી આપવા માં આવે છે.


ભારત રત્ન એવોર્ડ મેળવનાર ને શું મળે?

સન્માન પ્રાપ્ત કરનાર નાગરિક ને રાષ્ટ્રપતિ ના હસ્તાક્ષર વાળી (Signature) સનદ (Certificate) મળે છે. તે સિવાય એક મેડલ આપવામાં આવે છે.

મેડલ નો આકાર પીપળા ના પાન જેવો હોય છે. જેની લંબાઈ 5.8 સેન્ટીમીટર, તેની પહોળાઈ 47 સેન્ટીમીટર અને જાડાઈ 3.1 મીનીમિટર નું ધરાવે છે. આ મેડલ ને કાંસ્ય (BRONZE) માં થી બનાવવા માં આવે છે.

મેડલ ની ઉપર 1.6 સેન્ટીમીટર ની ઉપસાવેલી સૂર્ય ની પ્રતિકૃતિ અને દેવનાગરી લિપિ માં ભારત રત્ન ઉપસાવેલું લખેલું હોય છે.

જ્યારે મેડલ ના પાછળ ના ભાગ માં ભારત નું રાષ્ટ્રીય ચિહ્ન ઉપસવેલું હોય છે અને દેવનાગરી લિપિ માં નીચે સત્યમેવ જયતે લખેલું હોય છે.

ભારત રત્ન ના મેડલ ની સાથે સનદ આપવા માં આવે છે. પરંતુ આ મેડલ સાથે કોઈ પણ પ્રકાર ની ધનરાશિ આપવા માં આવતી નથી.






ગિરનાર ના 9999 પગથિયાં વિશે  👈🌟











મારું શહેર અંજાર





કોઈ સમયે પૂર્વ કચ્છનું આર્થિક પાટનગર ગણાતું અંજાર શહેર તેની તાસીર અને કારીગરી માટે આજે પણ કચ્છનાં અન્ય શહેરો કરતાં જુદું પડે છે. આ એ જ શહેર છે જેણે રાજાશાહીમાં બેફામ બની ગયેલા રાવ રાયધણ


 ત્રીજાને કેદ કરીને કચ્છમાં બારભાયાનું રાજ સ્થાપ્યું હતું. કચ્છમાં લોકશાહીની શરૂઆત કરનાર અંજારનો જાજરમાન ઇતિહાસ છે. આ શહેરમાં જ ક્રૂર ગણાવાયેલા જેસલ જાડેજાની તલવાર સતી તોરલના એકતારા સામે નમી પડી હતી. આઝાદી બાદ




 કચ્છની રાજનીતિનું મહત્ત્વનું કેન્દ્ર ગણાતું અંજાર શહેર બબ્બે ભૂકંપની માર ખમીને ફરી બેઠું થયું છે. વિકાસની અનેક શક્યતાઓ વચ્ચે આજે વિકસી ગયેલા મહાનગર ગાંધીધામને કારણે અંજારની અવગણના થતી હોવાનું લોકો માને છે.


આમ તો અંજાર કચ્છનું બાર તેર સૈકા જૂનું શહેર ગણાય છે, પરંતુ રાવશ્રી ખેંગારજી પહેલાએ સૌપ્રથમ સવત ૧૬૦૨ના માગસર વદ ૮ અને રવિવારે સ્વહસ્તે અંજારનું તોરણ બાંધ્યું હતું. 


અંજાર શહેરને ફરતે આલમપનાહનો ગઢ હતો, જે સંવત ૧૭૭૫માં મહારાવશ્રી દેશળજી પહેલાએ બંધાવ્યો હતો. ટિમ્બી કોઠા વિસ્તારમાં એક ઐતિહાસિક કોઠો છે. મહારાવશ્રી ખેંગારજી ત્રીજાએ આ કોઠામાં પોતાનું શસ્ત્રાગાર બનાવ્યું હતું. અંજારમાં રાજાશાહીની એકમાત્ર નિશાની હવે ટિમ્બી કોઠાનો એ ગઢ છે.


સ્વાદિષ્ટ અથાણાં
વ્યાજબી ભાવે 
લોક મુખે વખાણેલા
9228435764

 અંજાર શહેરના ફરતે ગઢને પાંચ નાકા હતા. ગંગા નાકું, સવાસર નાકું, સોરઠિયા નાકું, વરસામેડી નાકું અને દેવળિયા નાકું. જે આજે પણ એ નામે ઓળખાય છે. શહેરની વસ્તી વધવાથી અને સારસંભાળ ન હોવાના કારણે અમુક વિસ્તારમાં જ ગઢની દીવાલોના અવશેષ બચ્યા છે. અંજારની સ્થાપના બાબતે મતાંતર છે. કોઈ કહે છે કે આ શહેર પાંચસો વર્ષ જેટલું જૂનું છે, તો કોઈ એને બારસો વર્ષ જૂનું શહેર ગણાવે છે. જોકે સત્તાવાર રીતે રાવ દેશળજીએ આ શહેરનું તોરણ બાંધ્યાના ઉલ્લેખો મળે છે. સાથોસાથ શહેરની દક્ષિણે બારસો વર્ષ જૂનું ભરેશ્વરનું કલાત્મક મંદિર છે, જે આ વિસ્તારમાં કોઈ સમયે વસ્તી હોવાનું દર્શાવે છે. અંજાર અજાડવાસ તરીકે ઓળખાતું હતું અને તેની સ્થાપના અજયપાળ ચૌહાણે કરી હોવાનો પણ એક મત છે. તો કોઈ એવું માને છે કે સૌપ્રથમ સોરઠથી આવેલા પંચોલી આહિરો આ જગ્યાએ આવીને વસ્યા હતા. જેમને સ્થાનિક લોકો સોરઠિયા તરીકે ઓળખે છે. કરછના ઇતિહાસમાં અંજાર શહેરના યુવાનોએ મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. રાવ રાયધણ ત્રીજાના સમયે ધાર્મિક અંધાધૂંધી પેદા થઈ ત્યારે અંજારના મેઘજી ઠક્કર, વાઘા પારેખ અને કોરા પારેખની આગેવાની હેઠળ ચારસો યુવાનોએ ભુજનો દરબાર ગઢ ઘેરી રાવ રાયધણને કેદ કર્યા હતા. તે પછી કચ્છમાં બારભાયાનું રાજ સ્થપાયું. કરછની ઓગણીસમી સદીની શરૂઆતમાં અંજારે કચ્છમાં એક જાતની લોકશાહીની સ્થાપના કરી હતી. એ ઘટનાની આગેવાની લેનાર અંજારના નરવીર મેઘજી ઠક્કરની પ્રતિમા અંજારના કસ્ટમ ચોકમાં મુકાયેલી છે તથા ભુજમાં વાણિયાવાડ નાકા બહાર મેઘજી શેઠની દેરી તરીકે ઓળખાતું તેમનું સ્થાનક છે.

‘કચ્છમાં અંજાર રુડાં શહેર છે હોજી રે’ જેવું લોકગીત રચનાર કવિ જરૂર આ શહેરનાં સૌંદર્ય અને લીલૂડી વાડીઓથી પ્રભાવિત થયા હશે. ખરેખર અંજાર શહેર આખાય કચ્છમાં જરા જુદું છે. એના એક નહીં, અનેક કારણો છે. ભૂતકાળમાં જ્યારે માંડવીની જાહોજલાલી હતી, માંડવી બંદરે ચોર્યાસી બંદરના વાવટા ફરકતા હતા ત્યારે માંડવીની સમાંતરે કોઈ સમૃદ્ધ શહેર હોય તો એ અંજાર હતું. કચ્છમાં વિવિધ ભક્તિધારાઓનું કેન્દ્રબિંદુ પણ અંજાર છે.
જૈનો અંજારના જૂના વતનીઓ છે. તે બાદ હવેલી સંપ્રદાય, સચ્ચિદાનંદ સંપ્રદાય, સ્વામીનારાયણ સંપ્રદાય, પાટ પરંપરા, નાથ સંપ્રદાય, દશનામ સંપ્રદાય, મહેશ સંપ્રદાય, વિસો સંપ્રદાય જેવી હિન્દુ ધર્મની વિવિધ ધારાઓ અંજાર આવીને સ્થિર થયેલી છે. કચ્છમાં અંજાર મંદિરોનું શહેર પણ કહેવાય છે. અંજારમાં હિન્દુ ધર્મના વિવિધ સંપ્રદાયોના હાલ ત્રણસો જેટલાં નાનાં-મોટાં મંદિર છે. જેમાં ભરેશ્વરનું પ્રાચીન મંદિર, અજયપાળ (અજેપાર)નું મંદિર, અંબાજીનું મંદિર, જેસલ-તોરલની સમાધિ, સ્વામીનારાયણનું મંદિર, મામૈદેવના પગલાં જોવા માટે આખાય ગુજરાતમાંથી પ્રવાસીઓ આવે છે. 

Bijora.keri Gunda
Gol keri ,chhundo
ફકત -180*

ભૂતકાળમાં અંજાર પૂર્વ કચ્છનું સૌથી મોટું ગામ હતું. પૂર્વ કચ્છની આર્થિક પ્રવૃત્તિઓનું અંજાર કેન્દ્રબિંદુ ગણાતું હતું. છેક પ્રાંથડના વેપારીઓ અંજાર સાથે જોડાયેલા હતા. અંજારમાં હાલ સ્થાયી થયેલી વેપારી જ્ઞાતિઓ મોટાભાગની વાગડની છે. તો કેટલીક કસબી જ્ઞાતિઓ વાગડ તેમ જ મચ્છુકાંઠાની છે. જામનગરથી અહીં આવી સ્થાયી થયેલા લોકો પણ છે. એનું એક કારણ એ છે કે જ્યારે કચ્છમાંથી બહાર જવા સડક-માર્ગો ન હતા, ત્યારે અંજારના તુણા બંદરેથી દરિયાઈ માર્ગે નવલખી, સિક્કા જઈ શકાતું હતું. વહાણવટાના ઇતિહાસમાં કરુણ ગણાવાયેલી વીજળી આગબોટ ડૂબી ગયાની ઘટનામાં અંજાર શહેરના સંખ્યાબંધ મુસાફરો હોવાનું કારણ તુણા બંદર હતું. એટલું જ નહીં, અંગ્રેજોએ કચ્છમાં પગપેસારો તુણા બંદરેથી જ કર્યો હતો. અંગ્રેજોએ કચ્છના રજવાડા સાથે વહીવટી કરારો કર્યા બાદ તેમણે ભુજમાં પોતાનું થાણું ન નાખતાં, અંજારને પસંદ કર્યું હતું. કચ્છના પહેલા નિવાસી પોલિટિકલ એજન્ટ જેમ્સ મેક મર્ડોએ અંજારમાં રહીને કચ્છનું શાસન ચલાવ્યું હતું. આજે પણ અંજારના ટિમ્બી કોઠા વિસ્તારમાં 







જેમ્સ મેક મર્ડોએ બંધાવેલો પોતાનો કલાત્મક બંગલો જીર્ણ સ્થિતિમાં ઊભો છે. અંજાર કસબીઓનું ગામ ગણાય છે. હિન્દુ કુંભાર (પ્રજાપતિ), ગુર્જર ક્ષત્રિય, ગુર્જર સુતાર, સોની, મચ્છુકાંઠાના દરજી, કંસારા, હિન્દુ મોચી, મુસ્લિમ લુહાર, મુસ્લિમ ખત્રી જેવી કસબી જ્ઞાતિઓની ખાસ્સી એવી વસ્તી અંજારમાં છે. એટલે જ અંજારમાં કોઈ સમયે ગૃહ ઉદ્યોગ ધમધમતા હતા. અંજાર છરી-ચાકૂની બનાવટ માટે ખ્યાતનામ હતું. આજે પણ અંજારમાં છરી-ચાકુ, 






તલવાર જેવાં હથિયાર વેચનારાની ઘણી દુકાનો છે. ચામડાંની બનાવટો માટે પણ અંજાર શહેર જાણીતું છે. અંજારનો બાટિક ઉદ્યોગ જગવિખ્યાત છે. 



અહીંની બાંધણી સાડીની ખરીદી માટે ગુજરાતભરમાંથી ગ્રાહકો આવે છે. ઔદ્યોગિકીકરણ પહેલાં કચ્છનો ચોથા ક્રમનો ઉદ્યોગ ટ્રક પરિવહનનો ગણાતો હતો. કચ્છમાં ટ્રકની બોડી બનાવવાનું કામ શરૂ કરનાર અંજાર શહેર છે. અંજાર શહેરની ટ્રક બોડી બનાવવાનું કામ આખાય ગુજરાતમાં નોંધપાત્ર હતું. છરી-ચપ્પુની જેમ અંજારમાં પીતળનું કામ વખણાય છે. ખાસ તો અહીં બનતા મંજિરા અને ઝાંઝ. જુદી જુદી ટ્યુનિંગ રેન્જના મંજિરા ખરીદવા લોકો ખાસ અંજાર આવે છે. અંજાર શહેરની સૌથી મોટી વિશેષતા હોય તો તેનાં અખૂટ ભૂગર્ભ જળ. ૧૯૮૦ સુધી અંજારમાં પાણીની કુદરતી નીકો વહેતી હતી. કંડલા બંદરના વિકાસમાં અંજારનો ફાળો છે. અંજાર શહેરે કંડલા બંદરને ચાળીસ વર્ષ સુધી પીવાનું પાણી પૂરું પાડ્યું છે. સમૃદ્ધ ભૂગર્ભ જળને કારણે અહીંની ખેતી વિકસી છે. જોકે હવે પાણીનાં તળ ઊંડાં ગયાં છે, પરંતુ અંજાર શહેરને અડીને આવેલી વાડીઓ ફળ-ઝાડથી લચી પડતી હતી. અંજારમાં ચકોતરા તરીકે ઓળખાતું લીંબુ કૂળનું ફળ ખાસ જાણીતું છે. બહુધા જોવા ન મળતું આ ફળ અંજારની વિશેષતા છે. વર્તમાન સમયમાં અંજાર શહેર શાકભાજી અને ફૂલોનાં ઉત્પાદનમાં મોખરે છે. અહીંની શાકભાજી ખરીદવા છેક ડીસા અને મોરબીથી વાહનો વહેલી સવારે અહીં આવે છે. અંજાર શહેર અને તેના પાદરે જ આવેલું વીડી ગામ ફૂલોનું જંગી ઉત્પાદન કરે છે. વિવિધ જાતના ગુલાબ, ડોલર અને હજારીનાં ફૂલો છેક રાજકોટ સુધી જાય છે. અંજારના ફરસાણ આખાય કચ્છમાં વખણાય છે. અહીંની પકવાન તરીકે ઓળખાતી એક વાનગીની ખરીદી રાજ્ય બહારથી આવેલા લોકો ખાસ કરે છે.

અંજાર શહેર કચ્છની વર્તમાન રાજનીતિનું એપી સેન્ટર ગણાય છે. કચ્છના મહત્ત્વના રાજકીય નિર્ણયોમાં આ શહેરે મહત્ત્વની ભૂમિકા ભજવી છે. આ નાનકડા નગરે માત્ર પચાસ વર્ષની વચ્ચે બબ્બે ભૂકંપની માર ખમી છે. વાવાઝોડાએ આ શહેરને ઘમરોળ્યું છે. તેમ છતાં અહીંની પ્રજા બેઠી થઈ ગઈ છે. કંડલા બંદરના વિકાસ પછી મહાનગર બની ગયેલાં ગાંધીધામ શહેરના વધતા જતા આર્થિક અને રાજકીય બળ સામે અંજાર શહેર દબાઈ ગયું હોય તેવું લોકોને લાગે છે. ગાંધીધામના વિકાસની અસર અંજાર શહેરની આર્થિક પ્રવૃત્તિઓ ઉપર પણ પડી છે. તેમ છતાં અંજાર શહેરની કેટલીક સંસ્થાઓ અંજારનું ગૌરવ પુનઃસ્થાપિત કરવા સક્રિય છે.







અંજાર

અંજાર માં શું શું વખણાય છે
 શાંતિ ના સેવ ઉસળ, આરાધનાની ભેળ,
હંસરાજની પાઉંભાજી, રામુ ના ઢોસા,
કાપડી લોજ ની ખારીભાત, સુડી ચપ્પુ, 
ખત્રી કામ , બાલાજી સેન્ડવીચ,
નીલકમલ નું પાન, ઢોકળીયાની કટકા રોટી,
ધુળેટીની ઘેર, પબ્લિક પાર્ક,
ઘડિયાળ ટાવર, સાડા આઠ વાગ્યાનો ભુંગરો,
માલાશેરી ની સાડી બજાર,
સ્ટેડિયમ, કચરાણી સાયકલ,
જોષી નું ઊંધિયું, માધવરાયનું નમકીન,
હીરજી તેજપાલનું કાંટલું, મેપાના પેંડા,
સાંકડી શેરીનો મોનથાળ, હંસ લોન્ડ્રી,
નવલ કંદોઈની બુંદી, મચ્છીપીઠના કંસારાના મંજીરા, ઘંટ,આરતી,
આશાની ચંપલ, ગોહિલ સન્સની સિલાઈ,
કિશોર ના ભજીયા, ડૉ,શ્યામ સુંદર, ઝોટા,
પ્રજાપતિના બારદાન, નિતીવિજયનો શેરડી રસ,
શિવ પાનનો માવો, અંજારના ફાફડાનો સંભારો,
ભામા,તુલસી, ના સમોસા, પશા કાકાની લોક સેવા,
ચૌહાણના દૂધી તેલ, કોડરાણી ની વેફર,
ભીખાની દાબેલી, મામા ના ફાફડા,
ગંગાબજારના વણેલા ગાંઠિયા,
સવાસર નાકાના ખમણ ,પાત્રા,
સાગરની મીઠાઈ, ગીધુભાઇ વૈદ્ય ની ફાકી, માલાશેરીના
સ્વાદિસ્ટ અથાણાં 
 મુરલી બેકરી, ખેડોઈ ની ખારેક, કેરી,
મથડા ની ડુંગરી, ખોખરા ની શકર ટેટી, ધમડકા નું છાપ કામ , વણાટકામ, 
આ છે અમારું રૂડું અંજાર શહેર 
હંસાબેન રાઠોડ 🙏🙏અંજાર માં શું શું વખણાય છે
 શાંતિ ના સેવ ઉસળ, આરાધનાની ભેળ,
હંસરાજની પાઉંભાજી, રામુ ના ઢોસા,
કાપડી લોજ ની ખારીભાત, સુડી ચપ્પુ, 
ખત્રી કામ , બાલાજી સેન્ડવીચ,
નીલકમલ નું પાન, ઢોકળીયાની કટકા રોટી,
ધુળેટીની ઘેર, પબ્લિક પાર્ક,
ઘડિયાળ ટાવર, સાડા આઠ વાગ્યાનો ભુંગરો,
માલાશેરી ની સાડી બજાર,
સ્ટેડિયમ, કચરાણી સાયકલ,
જોષી નું ઊંધિયું, માધવરાયનું નમકીન,
હીરજી તેજપાલનું કાંટલું, મેપાના પેંડા,
સાંકડી શેરીનો મોનથાળ, હંસ લોન્ડ્રી,
નવલ કંદોઈની બુંદી, મચ્છીપીઠના કંસારાના મંજીરા, ઘંટ,આરતી,
આશાની ચંપલ, ગોહિલ સન્સની સિલાઈ,
કિશોર ના ભજીયા, ડૉ,શ્યામ સુંદર, ઝોટા,
પ્રજાપતિના બારદાન, નિતીવિજયનો શેરડી રસ,
શિવ પાનનો માવો, અંજારના ફાફડાનો સંભારો,
ભામા,તુલસી, ના સમોસા, પશા કાકાની લોક સેવા,
ચૌહાણના દૂધી તેલ, કોડરાણી ની વેફર,
ભીખાની દાબેલી, મામા ના ફાફડા,
ગંગાબજારના વણેલા ગાંઠિયા,
સવાસર નાકાના ખમણ ,પાત્રા,
સાગરની મીઠાઈ, ગીધુભાઇ વૈદ્ય ની ફાકી, માલાશેરીના
સ્વાદિસ્ટ અથાણાં 
 મુરલી બેકરી, ખેડોઈ ની ખારેક, કેરી,
મથડા ની ડુંગરી, ખોખરા ની શકર ટેટી, ધમડકા નું છાપ કામ , વણાટકામ, 
આ છે અમારું રૂડું અંજાર શહેર 
હંસાબેન રાઠોડ 🙏🙏

Hanuman Chalisa Gujarati / Hindi



ગુજરાતી હનુમાન ચાલીસા...

॥ દોહા ॥

શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજમન મુકુર સુધારિ |

બરનવ રઘુવર વિમલ યશ જો દાયક ફલચારિ ‖

બુદ્ધિહીન તનુજાનિકૈ સુમિરૌ પવન કુમાર |

બલ બુદ્ધિ વિદ્યા દેહુ મોહિ હરહુ કલેશ વિકાર ‖


           ॥ ચૌપાઈ॥

જય હનુમાન જ્ઞાન ગુણ સાગર |
જય કપીશ તિહુ લોક ઉજાગર ‖ 1 ‖

રામદૂત અતુલિત બલધામા |
અંજનિ પુત્ર પવનસુત નામા ‖ 2 ‖

મહાવીર વિક્રમ બજરંગી |
કુમતિ નિવાર સુમતિ કે સંગી ‖3 ‖

કંચન વરણ વિરાજ સુવેશા |
કાનન કુંડલ કુંચિત કેશા ‖ 4 ‖

હાથવજ્ર ઔ ધ્વજા વિરાજૈ |
કાંધે મૂંજ જનેવૂ સાજૈ ‖ 5‖

શંકર સુવન કેસરી નંદન |
તેજ પ્રતાપ મહાજગ વંદન ‖ 6 ‖

વિદ્યાવાન ગુણી અતિ ચાતુર |
રામ કાજ કરિબે કો આતુર ‖ 7 ‖

પ્રભુ ચરિત્ર સુનિવે કો રસિયા |
રામલખન સીતા મન બસિયા ‖ 8‖

સૂક્ષ્મ રૂપધરિ સિયહિ દિખાવા |
વિકટ રૂપધરિ લંક જલાવા ‖ 9 ‖

ભીમ રૂપધરિ અસુર સંહારે |
રામચંદ્ર કે કાજ સંવારે ‖ 10 ‖

લાય સંજીવન લખન જિયાયે |
શ્રી રઘુવીર હરષિ ઉરલાયે ‖ 11 ‖

રઘુપતિ કીન્હી બહુત બડાયી |
તુમ મમ પ્રિય ભરત સમ ભાયી ‖ 12 ‖

સહસ્ર વદન તુમ્હરો યશગાવૈ |
અસ કહિ શ્રીપતિ કંઠ લગાવૈ ‖ 13 ‖

સનકાદિક બ્રહ્માદિ મુનીશા |
નારદ શારદ સહિત અહીશા ‖ 14 ‖

યમ કુબેર દિગપાલ જહાં તે |
કવિ કોવિદ કહિ સકે કહાં તે ‖ 15 ‖

તુમ ઉપકાર સુગ્રીવહિ કીન્હા |
રામ મિલાય રાજપદ દીન્હા ‖ 16 ‖

તુમ્હરો મંત્ર વિભીષણ માના |
લંકેશ્વર ભયે સબ જગ જાના ‖ 17 ‖

યુગ સહસ્ર યોજન પર ભાનૂ |
લીલ્યો તાહિ મધુર ફલ જાનૂ ‖ 18 ‖

પ્રભુ મુદ્રિકા મેલિ મુખ માહી |
જલધિ લાંઘિ ગયે અચરજ નાહી ‖ 19 ‖

દુર્ગમ કાજ જગત કે જેતે |
સુગમ અનુગ્રહ તુમ્હરે તેતે ‖ 20 ‖

રામ દુઆરે તુમ રખવારે |
હોત ન આજ્ઞા બિનુ પૈસારે ‖ 21 ‖

સબ સુખ લહૈ તુમ્હારી શરણા |
તુમ રક્ષક કાહૂ કો ડર ના ‖ 22 ‖

આપન તેજ સમ્હારો આપૈ |
તીનોં લોક હાંક તે કાંપૈ ‖ 23 ‖

ભૂત પિશાચ નિકટ નહિ આવૈ |
મહાવીર જબ નામ સુનાવૈ ‖ 24 ‖

નાસૈ રોગ હરૈ સબ પીરા |
જપત નિરંતર હનુમત વીરા ‖ 25 ‖

સંકટ સે હનુમાન છુડાવૈ |
મન ક્રમ વચન ધ્યાન જો લાવૈ ‖ 26 ‖

સબ પર રામ તપસ્વી રાજા |
તિનકે કાજ સકલ તુમ સાજા ‖ 27 ‖

ઔર મનોરથ જો કોઈ લાવૈ |
સોહી અમિત જીવન ફલ પાવૈ ‖ 28 ‖

ચારો યુગ પ્રતાપ તુમ્હારા |
હૈ પ્રસિદ્ધ જગત ઉજિયારા ‖ 29 ‖

સાધુ સંત કે તુમ રખવારે |
અસુર નિકંદન રામ દુલારે ‖ 30 ‖

અષ્ઠસિદ્ધિ નવ નિધિ કે દાતા |
અસવર દિન જાનકી માતા ‖ 31 ‖

રામ રસાયન તુમ્હારે પાસા |
સદા રહો રઘુપતિ કે દાસા ‖ 32 ‖

તુમ્હરે ભજન રામકો પાવૈ |
જન્મ જન્મ કે દુખ બિસરાવૈ ‖ 33 ‖

અંત કાલ રઘુપતિ પુરજાયી |
જહાં જન્મ હરિભક્ત કહાયી ‖ 34 ‖

ઔર દેવતા ચિત્ત ન ધરયી |
હનુમત સોઈ સર્વ સુખ કરયી ‖ 35 ‖

સંકટ કટૈ મિટૈ સબ પીરા |
જો સુમિરૈ હનુમત બલ વીરા ‖ 36 ‖

જૈ જૈ જૈ હનુમાન ગોસાઈ |
કૃપા કરહુ ગુરુદેવ કી નાઈ ‖ 37 ‖

જો શતબાર પાઠ કર કોઈ |
છૂટહિ બંદિ મહા સુખ હોઈ ‖ 38 ‖

જો યહ પઢે હનુમાન ચાલીસા |
હોય સિદ્ધિ સાખી ગૌરીશા ‖ 39 ‖

તુલસીદાસ સદા હરિ ચેરા |
કીજૈ નાથ હૃદય મહ ડેરા ‖ 40 ‖



પવન તનય સંકટ હરણ – મંગળ મૂરતિ રૂપ્ |

રામ લખન સીતા સહિત – હૃદય બસહુ સુરભૂપ્ ‖

સિયાવર રામચંદ્રકી જય | પવનસુત હનુમાનકી જય | બોલો ભાઈ સબ સંતનકી જય |

       // જય શ્રી રામ  //





हिन्दी में हनुमान चालीसा।।


श्री हनुमान चालीसा 

।।दोहा।।

श्रीगुरु चरण सरोज रज, निज मनु मुकुर सुधारी

बराणु रघुवर बिमल जसु, जो दायकु फल चारि


बुद्धिहीन तनु जानिके, सुमिरौं पवन कुमार

बल बुधि विद्या देहु मोहि, हरहु कलेश विकार


।।चौपाई।।

जय हनुमान ज्ञान गुन सागर

जय कपीस तिहुँ लोक उजागर॥१॥


राम दूत अतुलित बल धामा

अंजनि पुत्र पवनसुत नामा॥२॥


महाबीर बिक्रम बजरंगी

कुमति निवार सुमति के संगी॥३॥


कंचन बरन बिराज सुबेसा

कानन कुंडल कुँचित केसा॥

हाथ बज्र अरु ध्वजा बिराजे

काँधे मूँज जनेऊ साजे॥५॥


शंकर सुवन केसरी नंदन

तेज प्रताप महा जगवंदन॥६॥


विद्यावान गुनी अति चातुर

राम काज करिबे को आतुर॥७॥


प्रभु चरित्र सुनिबे को रसिया

राम लखन सीता मनबसिया॥८॥


सूक्ष्म रूप धरि सियहि दिखावा

विकट रूप धरि लंक जरावा॥९॥


भीम रूप धरि असुर सँहारे

रामचंद्र के काज सवाँरे॥१०॥


लाय सजीवन लखन जियाए

श्री रघुबीर हरषि उर लाए॥११॥


रघुपति कीन्ही बहुत बड़ाई

तुम मम प्रिय भरत-हि सम भाई॥१२॥


सहस बदन तुम्हरो जस गावै

अस कहि श्रीपति कंठ लगावै॥१३॥


सनकादिक ब्रह्मादि मुनीसा

नारद सारद सहित अहीसा॥१४॥


जम कुबेर दिगपाल जहाँ ते

कवि कोविद कहि सके कहाँ ते॥१५॥


तुम उपकार सुग्रीवहि कीन्हा

राम मिलाय राज पद दीन्हा॥१६॥


तुम्हरो मंत्र बिभीषण माना

लंकेश्वर भये सब जग जाना॥१७॥


जुग सहस्त्र जोजन पर भानू

लिल्यो ताहि मधुर फ़ल जानू॥१८॥


प्रभु मुद्रिका मेलि मुख माही

जलधि लाँघि गए अचरज नाही॥१९॥


दुर्गम काज जगत के जेते

सुगम अनुग्रह तुम्हरे तेते॥२०॥


राम दुआरे तुम रखवारे

होत ना आज्ञा बिनु पैसारे ।।

सब सुख लहैं तुम्हारी सरना

तुम रक्षक काहु को डरना॥२२॥


आपन तेज सम्हारो आपै

तीनों लोक हाँक तै कापै॥२३॥


भूत पिशाच निकट नहि आवै

महावीर जब नाम सुनावै॥२४॥


नासै रोग हरे सब पीरा

जपत निरंतर हनुमत बीरा॥


संकट तै हनुमान छुडावै

मन क्रम वचन ध्यान जो लावै॥२६॥


सब पर राम तपस्वी राजा

तिनके काज सकल तुम साजा॥२७॥


और मनोरथ जो कोई लावै

सोई अमित जीवन फल पावै॥२८॥


चारों जुग परताप तुम्हारा

है परसिद्ध जगत उजियारा॥२९॥


साधु संत के तुम रखवारे

असुर निकंदन राम दुलारे॥३०॥


अष्ट सिद्धि नौ निधि के दाता

अस बर दीन जानकी माता॥३१॥


राम रसायन तुम्हरे पासा

सदा रहो रघुपति के दासा॥३२॥


तुम्हरे भजन राम को पावै

जनम जनम के दुख बिसरावै॥३३॥


अंतकाल रघुवरपुर जाई

जहाँ जन्म हरिभक्त कहाई॥३४॥


और देवता चित्त ना धरई

हनुमत सेई सर्व सुख करई॥३५॥




संकट कटै मिटै सब पीरा

जो सुमिरै हनुमत बलबीरा॥३६॥


जै जै जै हनुमान गुसाईँ

कृपा करहु गुरु देव की नाई॥३७॥


जो सत बार पाठ कर कोई

छूटहि बंदि महा सुख होई॥३८॥


जो यह पढ़े हनुमान चालीसा

होय सिद्ध साखी गौरीसा॥३९॥


तुलसीदास सदा हरि चेरा

कीजै नाथ हृदय मह डेरा॥४०॥


दोहा

पवन तनय संकट हरन, मंगल मूरति रूप।

राम लखन सीता सहित, हृदय बसहु सुर भूप॥


बोलिए सिया वर रामचंद्र की जय।।

पवन पुत्र हनुमान की जय।।

सब संतोकी जय।




ગુરુવાર, 20 જાન્યુઆરી, 2022

New gk



શું ? તમે જાણો છો.
        ભારતમાં પતંગ ચગાવવા ઉપર બે વર્ષ ની સજા થઈ શકે છે.

સોજન્ય : VTV